Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ટેસ્ટ-મૅચ ત્રણ નહીં પણ પાંચ દિવસમાં જીતવી જોઈએ, સારી પિચ પર રમો અને પોતાના લોકો પર ભરોસો રાખો

ટેસ્ટ-મૅચ ત્રણ નહીં પણ પાંચ દિવસમાં જીતવી જોઈએ, સારી પિચ પર રમો અને પોતાના લોકો પર ભરોસો રાખો

Published : 18 November, 2025 10:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કલકત્તા ટેસ્ટ-મૅચમાં કારમી હાર બાદ ગૌતમ ગંભીરને સૌરવ ગાંગુલીનો કડક સંદેશ

ગૌતમ ગંભીરની ફાઇલ તસવીર

ગૌતમ ગંભીરની ફાઇલ તસવીર


ક્રિકેટ અસોસિએશન ઑફ બંગાળ (CAB)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ ભારતીય મુખ્ય કોચ ગૌતમ ગંભીરને કડક સંદેશ આપ્યો છે. તેણે ઘરઆંગણે પ્રભુત્વ મેળવવા માટે પિચ સાથે ચેડાં કરવાનું બંધ કરવા અને પહેલાંથી જ કાર્યરત વિશ્વ કક્ષાના બોલિંગ આક્રમણ પર આધાર રાખવા વિનંતી કરી હતી. ગૌતમ ગંભીરે પિચ ક્યુરેટરને પહેલા ચાર દિવસ ઈડન ગાર્ડન્સની પિચ પર પાણી ન છાંટવાની સૂચના આપી હતી જેને કારણે પિચ પર ખતરનાર ટર્ન જોવા મળી રહ્યો હતો.

ભારતના ભૂતપૂર્વ  કૅપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે ‘સારી પિચ પર રમો. મને આશા છે કે ગૌતમ ગંભીર મને સાંભળશે. મારી પાસે તેના માટે પુષ્કળ સમય છે. મને ગૌતમ ખૂબ ગમે છે. તે કોચ તરીકે સારું કામ કરી રહ્યો છે, પરંતુ સારી પિચ પર રમવું પડશે. તેણે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી પર વિશ્વાસ કરવો પડશે. સારી પિચ પર જ રમો, પોતાના લોકો પર વિશ્વાસ રાખવો પડશે અને ટેસ્ટ-મૅચ ત્રણ નહીં પણ પાંચ દિવસમાં જીતવી જોઈએ.’ 


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2025 10:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK