Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મારાં નિવેદનો બ્રૉડકાસ્ટિંગ ચૅનલ પર હોય તો જ વિશ્વાસ કરજો, સોશ્યલ મીડિયા પર તો ઘણા ફેક ન્યુઝ આવે છે

મારાં નિવેદનો બ્રૉડકાસ્ટિંગ ચૅનલ પર હોય તો જ વિશ્વાસ કરજો, સોશ્યલ મીડિયા પર તો ઘણા ફેક ન્યુઝ આવે છે

Published : 04 April, 2026 04:58 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુનીલ ગાવસકરે ક્રિકેટજગતને કરી અપીલ...

સુનીલ ગાવસકર

સુનીલ ગાવસકર


ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને વર્તમાન કૉમેન્ટેટર સુનીલ ગાવસકરે ગઈ કાલે સોશ્યલ મીડિયા પર સ્પેશ્યલ પોસ્ટ શૅર કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘IPL શરૂ થતાંની સાથે જ ફેક ન્યુઝની ફૅક્ટરી ફરીથી ઍક્ટિવ થઈ ગઈ છે. સોશ્યલ મીડિયા પર મારા નામે આવતી કોઈ પણ પોસ્ટનો વિશ્વાસ કરશો નહીં.’

સુનીલ ગાવસકરે કહ્યું હતું કે ‘ગઈ કાલે મેં એક પોસ્ટ જોઈ જેમાં મેં રોહિત શર્મા અને અર્શદીપ સિંહ માટે નિવેદન આપ્યું છે. એ પોસ્ટ એકદમ ફેક હતી. આવી ઘણી પોસ્ટ ટુર્નામેન્ટના અંત સુધી જોવા મળશે. ગમે ત્યાં મારા નામે લખેલા શબ્દોનો વિશ્વાસ કરતા નહીં. ક્રિકેટર્સ અને ક્રિકેટજગતને મારી અપીલ છે કે મારાં નિવેદનો બ્રૉડકાસ્ટિંગ ચૅનલ પર હોય તો જ વિશ્વાસ કરજો.’ 


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2026 04:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK