જો આવું થશે તો યશસ્વી જાયસ્વાલને ટીમની બહાર અથવા રિઝર્વમાં રાખવામાં આવી શકે છે.
રોહિત શર્મા , વિરાટ કોહલી
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 દરમ્યાન ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, મુખ્ય પસંદગીકાર અજિત આગરકર અને કૅપ્ટન રોહિત શર્માએ T20 વર્લ્ડ કપની ટીમની પસંદગીને લઈને બેઠક કરી હતી. અહેવાલો અનુસાર રોહિત શર્મા સાથે વિરાટ કોહલીને ઓપનર તરીકે ઉતારવામાં આવશે. જો આવું થશે તો યશસ્વી જાયસ્વાલને ટીમની બહાર અથવા રિઝર્વમાં રાખવામાં આવી શકે છે. યશસ્વી જાયસ્વાલ, શુભમન ગિલ અને ઈશાન કિશને મિડલ ઑર્ડરમાં બૅટિંગ કરવા માટે તૈયાર રહેવું પડશે. T20 વર્લ્ડ કપમાં કૅપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી ઓપનર તરીકે ધૂમ મચાવતા જોવા મળી શકે છે. અહેવાલ અનુસાર જો વાઇસ કૅપ્ટન તરીકે સિલેક્ટ થયેલો હાર્દિક પંડ્યા IPL 2024માં સારી બોલિંગ કરશે તો જ તેને T20 વર્લ્ડ કપ રમાડવામાં આવશે. હાર્દિક પંડ્યાની બોલિંગ ફિટનેસ વિશે ચિંતિત સિલેક્ટર્સ ત્યારે જ હાર્દિક પંડ્યાના નામ પર વિચાર કરશે જ્યારે તે સારી બોલિંગ કરીને પોતાની ટીમને ઉપયોગી સાબિત થઈ શકતો હોય. કૅપ્ટન બનીને સમસ્યાઓનો સામનો કરી રહેલા હાર્દિક પંડ્યાએ ૧૭મી સીઝનની ૬ મૅચમાં ૧૩૧ રન બનાવીને માત્ર ૩ વિકેટ લીધી છે.