Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દિલવાલે દુલ્હનિયા લે જાએંગેની રિલીઝને ૩૦ વર્ષ થયાં, કાજોલે માન્યો આભાર

દિલવાલે દુલ્હનિયા લે જાએંગેની રિલીઝને ૩૦ વર્ષ થયાં, કાજોલે માન્યો આભાર

Published : 21 October, 2025 09:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મ ૧૯૯૫ની ૨૦ ઑક્ટોબરે રિલીઝ થઈ હતી. આ પ્રસંગે કાજોલે તેના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર એક પોસ્ટ શૅર કરી છે

આ પોસ્ટર શૅર કરીને કાજોલે ફિલ્મના ઍક્ટર શાહરુખ ખાન અને ડિરેક્ટર આદિત્ય ચોપડાને મેન્શન કરીને કૅપ્શન લખી છે

આ પોસ્ટર શૅર કરીને કાજોલે ફિલ્મના ઍક્ટર શાહરુખ ખાન અને ડિરેક્ટર આદિત્ય ચોપડાને મેન્શન કરીને કૅપ્શન લખી છે


કાજોલ અને શાહરુખ ખાનની સુપરહિટ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ (DDLJ)ની રિલીઝને ગઈ કાલે ૩૦ વર્ષ પૂર્ણ થઈ ગયાં છે. આ ફિલ્મ ૧૯૯૫ની ૨૦ ઑક્ટોબરે રિલીઝ થઈ હતી. આ પ્રસંગે કાજોલે તેના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર એક પોસ્ટ શૅર કરી છે જેની કૅપ્શનમાં લખ્યું છે, ‘DDLJએ આજે ૩૦ વર્ષ પૂર્ણ કરી લીધાં છે, પરંતુ એ વિશ્વભરમાં અને દરેકના હૃદય અને મનમાં કેટલી ફેલાઈ ગઈ છે એની ગણતરી કરી શકાય એમ નથી. અભૂતપૂર્વ રીતે એને પ્રેમ કરવા બદલ તમામ લોકોનો આભાર.’

આ પોસ્ટમાં કાજોલે સ્વિટ્ઝરલૅન્ડના એક રેલવે-સ્ટેશનના દરવાજા પર લાગેલા બર્ગર શૉપના પ્રચાર માટેના પોસ્ટરની એક તસવીર પણ શૅર કરી છે. આ પોસ્ટર પર લખ્યું છે, ‘શાહરુખે કાજોલના કાનમાં કહ્યું... ચલો બર્ગર શર્જર ખાતે હૈં.’ આ પોસ્ટર શૅર કરીને કાજોલે ફિલ્મના ઍક્ટર શાહરુખ ખાન અને ડિરેક્ટર આદિત્ય ચોપડાને મેન્શન કરીને કૅપ્શન લખી છે, ‘સ્લાઇડમાં જુઓ કે આ ફિલ્મ કેટલી આગળ વધી ગઈ છે.’


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2025 09:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK