Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

જીવનનો હેતુ શું છે?

Published : 28 May, 2026 10:10 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રણવીર સિંહે હાલમાં સદ્ગુરુ સાથેની મુલાકાતમાં આ સવાલ પૂછ્યો અને ધીરજપૂર્વક જવાબ સાંભળ્યો

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


‘ડૉન 3’ને લઈને ફરહાન અખ્તર અને રણવીર સિંહ વચ્ચે વિવાદ સર્જાયો છે. લાગે છે કે આ વિવાદનો પ્રભાવ હવે રણવીર સિંહના મન પર પણ જોવા મળી રહ્યો છે. તેથી જ તે એક કૉન્ક્લેવમાં સદ્ગુરુને જીવનનો હેતુ શું છે એવો સવાલ પૂછતો જોવા મળ્યો. હાલમાં જગ્ગી વાસુદેવ એટલે કે સદ્ગુરુના સોશ્યલ મીડિયા પેજ પર એક વિડિયો શૅર કરવામાં આવ્યો હતો, જેમાં રણવીર તેમની સાથે વાતચીત કરતો જોવા મળ્યો હતો.

વિડિયોમાં રણવીર વાતવાતમાં સદ્ગુરુને કહે છે, ‘જ્યારે હું અહીં આવી રહ્યો હતો ત્યારે મેં ફૅન્સને પૂછ્યું કે હું તમને શું સવાલ પૂછું? ત્યારે લોકોએ કહ્યું કે જીવનનો હેતુ શું છે એ સવાલ તમને જરૂર પૂછવો જોઈએ.’



આ સવાલના જવાબમાં સદ્ગુરુએ કહ્યું, ‘જ્યારે તમે પૂછો છો કે જીવનનો હેતુ શું છે ત્યારે હકીકતમાં તમે પૂછો છો કે જીવનનો ઉપયોગ શું છે. જીવનનો કોઈ નિશ્ચિત હેતુ નથી. જીવન તમારી બુદ્ધિ કરતાં ઘણી વિશાળ અને અસાધારણ ઘટના છે.’


સદ્ગુરુનો જવાબ સાંભળ્યા બાદ રણવીરે આ વાત સાથે સહમતી પણ વ્યક્ત કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

28 May, 2026 10:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK