કરીના કપૂર ખાને કરેલાં વખાણ વિશે જયદીપ અહલાવતે કહ્યું...
જયદીપ અહલાવત , કરીના કપૂર ખાન
જયદીપ અહલાવતનું કહેવું છે કે કરીના કપૂર ખાન પ્રેમથી તેને તંગ કરતી રહે છે. કરીનાએ ‘જાને જાં’માં જયદીપ અને વિજય વર્મા સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં કામ કરતાં પહેલાં કરીનાને તેના પતિ સૈફ અલી ખાને એકદમ તૈયારી સાથે સેટ પર જવા વિશે કહ્યું હતું. કરીનાએ હાલમાં જ કહ્યું હતું કે આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન જયદીપના એક દૃશ્યને લઈને તે અવાચક થઈ ગઈ હતી. કરીના દ્વારા કરવામાં આવેલાં વખાણ વિશે પૂછતાં જયદીપ કહે છે, ‘પ્યાર સે ટાંગ ખીંચતી રહતી હૈ. તે હંમેશાં એકદમ તૈયારી સાથે સેટ પર આવતી હતી. તમને ક્યારેય તે સેટ પર સ્ક્રિપ્ટ હાથમાં લઈને ફરતી જોવા નહીં મળે. તે છેલ્લી મિનિટે બધું યાદ કરી લે એવું પણ નથી હોતું. તે હંમેશાં ખૂબ જ અદ્ભુત તૈયારી સાથે આવે છે. તેની એ સારી વાત છે કે તે પ્યારથી હંમેશાં તારીફ કરી દે છે.’