લગભગ 6 વર્ષ સાથે રહ્યા પછી બન્નેએ અલગ થવાનો નિર્ણય લઈ લીધો હતો. આ દરમિયાન એકવાર ફરી આશા નેગીએ રિત્વિક ધનજાની સાથે પોતાના બ્રેકઅપને લઈને વાત કરી છે.
તસવીર સૌજન્ય મિડ-ડે
ટીવી સીરિયલ `પવિત્ર રિશ્તા` ફેમ આશા નેગી હંમેશાંથી પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે. તે પોતાની વાતને કોઇપણ સંકોચ વગર બધાની સામે રજૂ કરે છે. આશા હાલ પોતાના અપકમિંગ શૉ `ખ્વાબો કે પરિંદે`ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. પ્રૉફેશનલ લાઇફની સાથે આશા પોતાની પર્સનલ લાઇફને લઈને પણ ચર્ચામાં રહે છે. ગયા વર્ષે આશા નેગી પોતાના બૉયફ્રેન્ડ અને એક્ટર રિત્વિક ધનજાની સાથે બ્રેકઅપને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે. લગભગ 6 વર્ષ સાથે રહ્યા પછી બન્નેએ અલગ થવાનો નિર્ણય લઈ લીધો હતો. આ દરમિયાન એકવાર ફરી આશા નેગીએ રિત્વિક ધનજાની સાથે પોતાના બ્રેકઅપને લઈને વાત કરી છે.
આશા નેગી તાજેતરમાં પિંકવિલાને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાના અને રિત્વિક ધનજાનીના ઇક્વેશન વિશે ખુલીને વાત કરી. તેણે કહ્યું, "અમે અલગ થઈ ગયા એ વાત સારી છે. આજે પણ અમારી વચ્ચે સંબંધ ખૂબ જ સામાન્ય છે. અમે એક-બીજા સાથે વાત કરવા માગીએ છીએ, એક-બીજાને કંઇક કહેવા માગીએ છીએ, તો અમે તે કરીએ છીએ, અને આ બધું નૉર્મલ છે. બ્રેકઅપ પછી તે આગળ વધી ગયા છે, હું પણ મૂવ ઑન થઈ ગઈ છું અને મને લાગે છે કે હવે એક વર્ષથી વધારે થઈ ગયું છે, આથી આપણે બધાએ આગળ વધવું જોઇએ."
ADVERTISEMENT
View this post on Instagram
આ ઇન્ટરવ્યૂમાં આશા નેગી કહે છે, "જો તમે ઇચ્છો છો કે તમારી સાથે જોડાયેલ બીજી વ્યક્તિ ખુશ, સ્વસ્થ અને પોતાના કરિઅરમાં સક્સેસફુલ થાય. તો કોઇપણ વિવાદ અને ઝગડા વગર અલગ થઈ જવું બહેતર છે. તેથી મને લાગે છે કે આ ખૂબ જ સારું છું, કે અમે બન્ને એક બીજા માટે સૌથી સારું ઇચ્છીએ છીએ. તો કંઇક એવું કરો કે જે ખૂબ જ સુંદર છે, જે હોવું જોઇએ."
View this post on Instagram
જણાવવાનું કે આશા અને રિત્વિક વચ્ચે વિવાદ બિલકુલ પણ દેખાતો નથી. બ્રેકઅપ પછી આશા નેગીએ રિત્વિક ધનજાનીને ન તો ફક્ત બર્થડે વિશ કર્યો પણ તેના કરિઅર માટે દુઆઓ માગી. તો બન્નેને હંમેશાં એકબીજાના વખાણ કરતા પણ જોવા મળે છે.