આ સમયે ત્યાં રહેલા વાછરડાને રમાડીને એની સાથે થોડો સમય પણ પસાર કર્યો હતો.
રવીના ટંડને હૃષીકેશમાં પરમાર્થ નિકેતન આશ્રમની લીધી આધ્યાત્મિક મુલાકાત
રવીના ટંડને ગઈ કાલે ઉત્તરાખંડના હૃષીકેશમાં આવેલા પરમાર્થ નિકેતન આશ્રમની મુલાકાત લીધી હતી અને આ મુલાકાત દરમ્યાન ધાર્મિક વિધિમાં ભાગ લીધો હતો. આ મુલાકાત વખતે રવીનાએ પરમાર્થ નિકેતનના આધ્યાત્મિક વડા સ્વામી ચિદાનંદ સરસ્વતી અને સાધ્વી ભગવતી સરસ્વતીની મુલાકાત લીધી હતી અને આ સમયે ત્યાં રહેલા વાછરડાને રમાડીને એની સાથે થોડો સમય પણ પસાર કર્યો હતો.
