Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુલુંડમાં મીઠાના અગરની જમીન પર થનારાં બાંધકામ સામે જનઆક્રોશ

મુલુંડમાં મીઠાના અગરની જમીન પર થનારાં બાંધકામ સામે જનઆક્રોશ

Published : 07 June, 2026 07:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પર્યાવરણ બચાવવા આજે શાંતિપૂર્ણ જનઆંદોલન

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુલુંડ પર લાદવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ્સ અને મીઠાના અગરની જમીન પર પ્રસ્તાવિત બાંધકામ સામે સ્થાનિક પ્રજામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મુલુંડના ભૌગોલિક અને પર્યાવરણીય અસ્તિત્વને બચાવવા માટે તમામ રાજકીય પક્ષો અને સ્થાનિક નાગરિકો પક્ષાપક્ષી ભૂલીને એકજૂથ થયા છે. સરકારને જગાડવા અને પર્યાવરણની રક્ષા કરવા માટે ‘મીઠાગર વાચવા સમિતિ, મુલુંડ’ના નેતૃત્વમાં ‘મુલુંડ માટે મુલુંડકરોની લોકચળવળ’ શરૂ કરવામાં આવી છે. આ વિરોધ-પ્રદર્શનના ભાગરૂપે આજે એક વિશાળ અને શાંતિપૂર્ણ જનઆંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ સ્થાનિક લોકોને મોટી સંખ્યામાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે.

‘મીઠાગર વાચવા સમિતિ’ના સભ્ય સત્યવાન દળવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક હાથ પર્યાવરણ માટે... એક પગલું મુલુંડ માટે’ના નારા સાથે આ શાંતિપૂર્ણ જનઆંદોલન આજે સવારે સાડાનવ વાગ્યે યોજાશે. આ વિરોધ-પ્રદર્શન મુલુંડ-ઈસ્ટના વાસુદેવ બળવંત ફડકે માર્ગ પર આવેલા મરાઠા મંડળ સભાગૃહ પરિસરમાં યોજાવાનું છે. મીઠાના અગર મુંબઈ અને મુલુંડને પૂર જેવી કુદરતી આપત્તિથી બચાવવા માટે કુદરતી બફર ઝોન તરીકે કામ કરે છે એથી એની કતલ રોકવી અનિવાર્ય છે. મુલુંડના નાગરિકોનો સ્વયંભૂ અને ઉત્સાહપૂર્ણ સહયોગ આ આંદોલનને નિર્ણાયક અને લક્ષ્યવેધી બનાવશે એવો અમને વિશ્વાસ છે.’


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2026 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK