Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાનથી અલગ થયા પછી કેવી હતી ઐશ્વર્યા રાયની હાલત? સાદિયાએ કર્યો ખુલાસો

સલમાન ખાનથી અલગ થયા પછી કેવી હતી ઐશ્વર્યા રાયની હાલત? સાદિયાએ કર્યો ખુલાસો

Published : 30 June, 2026 06:11 PM | Modified : 30 June, 2026 06:26 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એક્ટ્રેસ સાદિયા સિદ્દીકી એ જણાવ્યું છે કે વર્ષ 2005માં આવેલી ફિલ્મ ‘શબ્દ’ના શૂટિંગ દરમિયાન ઐશ્વર્યા રાય ખૂબ જ પ્રૉફેશનલ રીતે કામ કરતી હતી. બ્રેકઅપ પછીના તે સમય દરમિયાન પણ તેમણે ક્યારેય પોતાના વ્યક્તિગત જીવનની અસર કામ પર થવા દીધી નહોતી.

 ઐશ્વર્યા રાય અને સલમાન ખાન (સૌજન્ય મિડ-ડે)

ઐશ્વર્યા રાય અને સલમાન ખાન (સૌજન્ય મિડ-ડે)


ઐશ્વર્યા રાય અને સલમાન ખાને સાથે ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’માં કામ કર્યું હતું. આ ફિલ્મ દરમિયાન બંનેના સંબંધોની ચર્ચાઓ પણ થઈ હતી. પછી બંનેના બ્રેકઅપની ખબર આવી અને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તે સમયે એવું પણ કહેવામાં આવ્યું હતું કે બંને વચ્ચે સંબંધો બહુ ખરાબ થઈ ગયા હતા. હવે આ જ ફિલ્મમાં બંને સાથે કામ કરી ચૂકેલી એક્ટ્રેસ સાદિયા સિદ્દીકી એ જણાવ્યું છે કે બ્રેકઅપ પછી 2005માં આવેલી ફિલ્મ ‘શબ્દ’ દરમિયાન ઐશ્વર્યા રાય કેવી હતી. તેમની પર્સનલ લાઇફની મુશ્કેલીઓનો તેમની પર કોઈ અસર પડી હતી કે નહીં, તે અંગે પણ તેમણે વાત કરી છે.

ઐશ્વર્યા વિશે સાદિયાએ શું કહ્યું?



એક્ટ્રેસ સાદિયાને પૂછવામાં આવ્યું હતું કે ફિલ્મ ‘શબ્દ’ દરમિયાન શું ઐશ્વર્યા રાયની પર્સનલ લાઈફની મુશ્કેલીઓ તેમને સમજાઈ હતી કે નહીં. આ પ્રશ્ન પર તેમણે કહ્યું કે ઐશ્વર્યા સાથે તેમની કોઈ સીધી સિંગલ સીન નહોતી. એટલા માટે તેઓ બહુ સમજી શક્યા નહીં કે ઐશ્વર્યા સાથે શું ચાલી રહ્યું હતું. તેમજ તેમણે એ પણ કહ્યું કે તેઓ ઐશ્વર્યા રાયને વ્યક્તિગત રીતે ઓળખતા નહોતા.
સાદિયાએ આગળ કહ્યું કે ઐશ્વર્યા રાયે પોતાની પર્સનલ લાઈફની મુશ્કેલીઓને ખૂબ સારી રીતે છુપાવી હતી. તે હંમેશા શૂટિંગ માટે સંપૂર્ણ તૈયાર થઈને આવતી હતી, પોતાની બધી લાઈનો યાદ કરીને અને સ્ક્રિપ્ટ સારી રીતે વાંચીને આવતી હતી. તે ખૂબ પ્રોફેશનલ રીતે કામ કરતી હતી અને પોતાના કામમાં ક્યારેય ખોટ ન આવવા દેતી હતી. સાદિયાના કહેવા મુજબ, તેમણે ક્યારેય પોતાની પર્સનલ સમસ્યાઓને પ્રોફેશનલ જીવન પર અસર કરવા દીધી નથી. સાદિયાએ વધુમાં ઐશ્વર્યા રાયની પ્રશંસા કરતા કહ્યું કે તે પોતાના પાત્ર માટે ખૂબ ડેડિકેટેડ હતી. તે વારંવાર સ્ક્રિપ્ટ વાંચતી અને ચર્ચા કરતી હતી કે પોતાના સીનને કેવી રીતે વધુ સારું કરી શકાય. તે પોતાના પાત્રની સાઇકોલોજી સમજવાની પણ સંપૂર્ણ કોશિશ કરતી હતી.


એડમેન પ્રહલાદ કક્કરે ઐશ્વર્યા–સલમાનના બ્રેકઅપ પર કરી વાત:

એડમેન પ્રહલાદ કક્કર, જેમણે ઐશ્વર્યા રાય સાથે તેના મોડેલિંગ સમય દરમિયાન નજીકથી કામ કર્યું હતું, તેમણે કહ્યું કે બ્રેકઅપ પછી તેમણે તેને સપોર્ટ આપ્યો હતો. પ્રહલાદ કક્કરે કહ્યું કે, “હું ફક્ત તેને સપોર્ટ કરતો હતો અને કહતો હતો કે ચિંતા ન કર.” ઐશ્વર્યાને સૌથી વધુ દુખ એ વાતનું હતું કે સલમાન માટે તેમને ઇન્ડસ્ટ્રીમાંથી સાથ મળ્યો નહોતો. પ્રહલાદ કક્કરે વધુમાં કહ્યું તેમને ખરેખર ખૂબ આઘાત લાગ્યો હતો અને તેણે પોતાને દગો થયો હોય એવું લાગ્યું હતું. પ્રહલાદ કક્કરના કહેવા મુજબ, બ્રેકઅપ પછી અંતમાં તેને રાહત પણ મળી હતી. તે આગળ કહે છે કે ઐશ્વર્યાને  બ્રેકઅપનો એટલો દુઃખ નહોતો. તેમને વધુ દુઃખ એ હતું કે બધાએ સલમાનનો સાથ આપ્યો અને તેમનો નહીં. સાચું તેમના પક્ષમાં હતું એવું તેમને લાગતું હતું. તેમને ઇન્ડસ્ટ્રી પર હવે વિશ્વાસ રહ્યો નહોતો કારણ કે ત્યાં ન્યાયસંગત રીતે કામ થઈ રહ્યું નહોતું. તેમણે કહ્યું કે જો તેઓ ખોટા હોત અને બીજું પક્ષ સાચું હોત અથવા બંનેને સમાન રીતે જોવામાં આવતાં, તો વાત અલગ હોત. પણ અહીં તો સંપૂર્ણ રીતે એકતરફી વર્તન થયું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

30 June, 2026 06:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK