Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Mardaani 3ને લઈને ચર્ચામાં છવાઈ આ ગુજરાતી અભિનેત્રી, શૈતાન સાથે છે આ કનેક્શન

Mardaani 3ને લઈને ચર્ચામાં છવાઈ આ ગુજરાતી અભિનેત્રી, શૈતાન સાથે છે આ કનેક્શન

Published : 24 April, 2025 08:02 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Janki Bodiwala In Mardaani 3: ફિલ્મ `મર્દાની 3`ને લઈને મોટી અપડેટ સામે આવી છે. ફિલ્મમાં `શૈતાન`ની અભિનેત્રી જાનકી બોડીવાલા મહત્ત્વનું પાત્ર ભજવશે. પહેલા તે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હતી.

મર્દાની (ફાઈલ તસવીર)

મર્દાની (ફાઈલ તસવીર)


Janki Bodiwala In Mardaani 3: ફિલ્મ `મર્દાની 3`ને લઈને મોટી અપડેટ સામે આવી છે. ફિલ્મમાં `શૈતાન`ની અભિનેત્રી જાનકી બોડીવાલા મહત્ત્વનું પાત્ર ભજવશે. પહેલા તે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હતી.


વર્ષ 2014માં રિલીઝ થયેલી ફિલ્મ `મર્દાની`માં અભિનેત્રી રાણી મુખર્જીએ પોલીસનું જબરજસ્ત પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ ખૂબ જ સફળ રહી હતી. ફિલ્મની સફળતા બાદ રાણી મુખર્જી `મર્દાની 2`માં જોવા મળી. આ ફિલ્મ 2019માં રિલીઝ થઈ. આ ફિલ્મ પણ બૉક્સ ઑફિસ પર ખૂબ જ સફળ રહી. હવે ફેન્સ આ ફિલ્મના ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યા છે.



શરૂ થઈ ચૂકી છે ફિલ્મ મર્દાની 3ની શૂટિંગ
વર્ષ 2024માં સમાચાર આવ્યા કે ફિલ્મ નિર્માતા `મર્દાની 3` પર કામ કરી રહ્યા છે. એક ન્યૂઝ એજન્સીના રિપૉર્ટ પ્રમાણે ફિલ્મ `મર્દાની 3`ની શૂટિંગ આ વર્ષની શરૂઆતમાં જ શરૂ થઈ ચૂકી છે. ફિલ્મ આવતા વર્ષે 2026માં હોળીના અવસરે રિલીઝ થશે.


જાનકી બોડીવાલા બનશે આ ફિલ્મનો ભાગ
વેબસાઈટ પ્રમાણે અભિનેત્રી જાનકી બોડીવાલા પણ આ ફિલ્મ એટલે કે `મર્દાની 3`માં મહત્ત્વનું પાત્ર ભજવશે. જાનકી બોડીવાલાએ ફિલ્મ `શૈતાન`માં ખૂબ જ સરસ એક્ટિંગ કરી હતી. જેનાથી રાણી મુખર્જી અને આદિત્ય ચોપડા પ્રભાવિત થયાં છે, આથી તેમણે જાનકી બોડીવાલાને ફિલ્મમાં મહત્ત્વનું પાત્ર આપ્યું છે. તે આ ફિલ્મમાં એક પોલીસનું પાત્ર ભજવશે. ફિલ્મની શૂટિંગ મુંબઈમાં થઈ રહી છે.

જરૂરી મુદ્દા પર બનશે ફિલ્મ
સમાચાર છે કે `મર્દાની 3` બન્ને ફિલ્મથી જબરજસ્ત હશે. પહેલી ફિલ્મ સામાજિક મુદ્દા પર આધારિત હતી. તે જ રીતે આ ફિલ્મ પણ જરૂરી સામાજિક મુદ્દા પર હશે.


જાનકી બોડીવાલાનું બૉલિવૂડમાં દળદાર પાત્ર
જાનકી બોડીવાલાએ બૉલિવૂડમાં `શૈતાન` ફિલ્મ દ્વારા ડેબ્યૂ કર્યો હતો. આ પહેલા તે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ભાગ હતી. હવે તે બૉલિવૂડમાં `મર્દાની 3`માં મહત્ત્વનું પાત્ર ભજવવા જઈ રહી છે.

`મર્દાની 3` યશરાજ ફિલ્મ્સના (Yash Raj Films) બેનર હેઠળ રિલીઝ થવાની છે. આ બેનર હેઠળ ચાર ફિલ્મો રિલીઝ થવામાં છે. `સૈયારા` 18 જુલાઈ, `વૉર 2` બીજી ઑગસ્ટ, `અલ્ફા` 25 ડિસેમ્બર અને `મર્દાની 3` 27 ફેબ્રુઆરી 2026ના રિલીઝ થશે.

પિંકવિલાના રિપોર્ટ અનુસાર, આદિત્ય ચોપરાએ રાની મુખર્જીની ફિલ્મ `મર્દાની 3` માટે જાનકી બોડીવાલાને પસંદ કરી છે. આ ફિલ્મમાં જાનકી બોડીવાલા પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. `મર્દાની 3` આવતા પહેલા, જાનકીએ ફિલ્મ `શૈતાન` માં અજય દેવગનની પુત્રીની ભૂમિકા ભજવી હતી, જેને લોકોએ ખૂબ પસંદ કરી હતી. `શૈતાન` પછી હવે જાનકી બોડીવાલાને `મર્દાની 3`માં રાની મુખર્જી સાથે ઓનસ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા માટે લોકો ખૂબ જ આતુર છે.

Whatsapp-channel Whatsapp-channel

24 April, 2025 08:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK