Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુનીલ શેટ્ટીએ ના પાડી દીધી હતી ૪૦ કરોડ રૂપિયાની તમાકુ અને પાનમસાલાની જાહેરાતને

સુનીલ શેટ્ટીએ ના પાડી દીધી હતી ૪૦ કરોડ રૂપિયાની તમાકુ અને પાનમસાલાની જાહેરાતને

Published : 29 December, 2025 02:46 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તે પોતાને એક ફૅમિલીમૅન અને આદર્શો પર ચાલનાર વ્યક્તિ માને છે

સુનીલ શેટ્ટી

સુનીલ શેટ્ટી


સુનીલ શેટ્ટી ૬૪ વર્ષની વયે પણ પોતાની ફિટનેસને લઈને સતત ચર્ચામાં રહે છે. તે પોતાને એક ફૅમિલીમૅન અને આદર્શો પર ચાલનાર વ્યક્તિ માને છે. તાજેતરમાં તેણે ખુલાસો કર્યો હતો કે પોતાના આ આદર્શોને કારણે તેણે ૪૦ કરોડ રૂપિયા મળી રહ્યા હોવા છતાં તમાકુ અને પાનમસાલાની એક જાહેરાતની ઑફરને ઠુકરાવી દીધી હતી.  

હાલમાં એક ઇન્ટરવ્યુમાં સુનીલ શેટ્ટીએ પોતાના આ નિર્ણય પાછળનું કારણ જણાવતાં કહ્યું હતું કે ‘મને તમાકુના પ્રોડક્ટની જાહેરાત માટે ૪૦ કરોડ રૂપિયાની ઑફર મળી હતી, પરંતુ મેં એને ઠુકરાવી દીધી હતી કારણ કે મારા માટે પૈસાથી વધારે મહત્ત્વ ઈમાનદારી અને મારા પરિવાર માટે સારા આદર્શોનું છે. મેં તેમને કહ્યું હતું કે શું તમને લાગે છે કે હું પૈસાની લાલચમાં આવી જઈશ? હું એવું કાંઈ નહીં કરું જેનાથી અહાન અને અથિયાની છબિ ખરાબ થાય. હવે તો કોઈ મારી પાસે આવા પ્રસ્તાવ લઈને આવવાની હિંમત પણ કરતું નથી. થોડા કરોડ રૂપિયા માટે હું મારા આદર્શો સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી નહીં કરું.’


Whatsapp-channel Whatsapp-channel

29 December, 2025 02:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK