Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘સ્કૅમ 1992’ના ‘પ્રણવ શેઠ’ બનશે ‘રતનમામા’

‘સ્કૅમ 1992’ના ‘પ્રણવ શેઠ’ બનશે ‘રતનમામા’

20 May, 2021 11:44 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘સ્કૅમ 1992’ ફેમ ઍક્ટર જય ઉપાધ્યાય ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ્’માં મલ્હાર ઠાકરના મામાના રોલમાં છે

જય ઉપાધ્યાય

જય ઉપાધ્યાય


અઢળક ગુજરાતી નાટકો કરનાર અને છેલ્લે ‘સ્કૅમ 1992’માં પ્રણવ શેઠનું પાત્ર ભજવનાર ઍક્ટર જય ઉપાધ્યાય ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ્’માં જોવા મળશે. જય ઉપાધ્યાય કહે છે, ‘સ્વાગતમ્ કૉમિક થ્રિલર ફિલ્મ છે જેમાં બે બહેન અને એક ભાઈના પરિવારની વાત છે. ઘરમાં એક છોકરો છે જે પાત્ર મલ્હાર ઠાકર ભજવે છે. તેના મામા એટલે કે બે બહેનોના એકમાત્ર ભાઈનું પાત્ર હું પ્લે કરું છું. મારા પાત્રનું નામ રતન છે જે રહસ્યમય છે!’

જય ઉપાધ્યાયે ઓટીટી પ્લૅટફૉર્મ ‘શેમારુ’ પર રિલીઝ થઈ રહેલી ‘સ્વાગતમ્’ ઉપરાંત અશ્વિની ઐયર તિવારીની નેટફ્લિક્સ માટેની ફિલ્મ કરી છે તો બીજી એક બિગ બૅનરની ફિલ્મ સાઇન કરી છે. જય કહે છે, ‘સ્કૅમ 1992 રિલીઝ થઈ એ પછી મોટા બૅનર અને ક્વૉલિટી ફિલ્મો ઑફર થઈ રહી છે. ગયું વર્ષ અને આ વર્ષ મારા માટે જમીન-આસમાનનો ફરક લઈને આવ્યું છે. જોકે પાછું લૉકડાઉન આવી ગયું એટલે અત્યારે તો બધું અટકી ગયું છે. હા, એ કહીશ કે ‘સ્કૅમ 1992’ને કારણે ઇન્ડસ્ટ્રીમાં અમે નોટિસ થયા છીએ. હવે અમે ક્યાંય પણ જઈએ તો ઇન્ટ્રોડક્શન નથી આપવું પડતું.’


Whatsapp-channel Whatsapp-channel

20 May, 2021 11:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK