Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > શનિ અસ્ત 2026: 13 માર્ચથી બદલાશે આ રાશિઓનું ભાગ્ય, જાણો અસરો અને ઉપાયો વિશે

શનિ અસ્ત 2026: 13 માર્ચથી બદલાશે આ રાશિઓનું ભાગ્ય, જાણો અસરો અને ઉપાયો વિશે

Published : 03 February, 2026 02:51 PM | Modified : 03 February, 2026 03:07 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શનિદેવનો થશે અસ્ત, જાણો માર્ચ મહિનામાં આવનારા આ બદલાવને પગલે કઈ ત્રણ રાશીઓ પર પ્રભાવ પડશે, આ પ્રભાવ સારો હશે કે ખરાબ અને શું અનુસરવાથી આ પ્રભાવને ફાયદામાં ફેરવી શકાશે. જાણો શનિદેવનો અસ્ત થવો એટલે શું. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ ફેરફારમાં કરવા આ ઉપાય.

શનિમાં આવનારું પરિવર્તન રસપ્રદ ફળ આપી શકે છે - તસવીર એઆઇ.

શનિમાં આવનારું પરિવર્તન રસપ્રદ ફળ આપી શકે છે - તસવીર એઆઇ.


13 માર્ચે શનિ દેવ અસ્ત થશે. જ્યોતિષશાસ્ત્રમાં શનિનું અસ્ત થવું એક મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે, જે કેટલીક રાશિઓના જીવનમાં નવો વળાંક લાવશે. આ સમયગાળા દરમિયાન અમુક રાશિઓના અટકેલા કામો પૂર્ણ થવા લાગશે અને આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત થશે. જે કામમાં હાથમાં લેશો તેમાં સફળતા મળશે. સાથે જ સાડાસાતી અને ઢૈયાના પ્રભાવમાંથી પણ થોડી રાહત પ્રાપ્ત થશે. ચાલો જાણીએ કે શનિનું અસ્ત થવું કઈ રાશિઓ માટે ભાગ્ય બદલનારું સાબિત થશે.

આ 3 રાશિઓ માટે સમય રહેશે શાનદાર



ધનુ રાશિ 
ધનુ રાશિ પર શનિની ઢૈયા ચાલી રહી છે અને તમારા માટે શનિનું અસ્ત થવું લાભકારી સાબિત થશે. તમારા અટકેલા કામો પૂરા થવા લાગશે. સુખ-સુવિધાઓમાં વધારો થશે. અચાનક સંપત્તિ ખરીદવાના યોગ બનશે. નવી નોકરીની ઓફર મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. કોઈ નવા કામની શરૂઆત કરી શકો છો. કુલ મળીને સમય શાનદાર રહેશે.


કુંભ રાશિ 
કુંભ રાશિના જાતકો માટે શનિનું અસ્ત થવું અત્યંત લકી સાબિત થશે. શનિની સાડાસાતીથી રાહત મળશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા ઘણી મજબૂત થશે. જે પણ કામ અટકેલા હતા તે પૂરા થવા લાગશે. આકસ્મિક ધનલાભના યોગ બની શકે છે. રોકાયેલું ધન પાછું મળશે. જમીન-મકાન, પ્રોપર્ટી વગેરેને લગતી બાબતોમાં સફળતા મળશે.

મીન રાશિ 
મીન રાશિના જાતકો પર શનિની સાડાસાતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. આવા સમયે શનિનું અસ્ત થવું તમારા માટે સકારાત્મક ઊર્જા લાવશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. કરિયરના મોરચે ખૂબ સફળતા મળશે. વૈવાહિક જીવનમાં મધુરતા વધશે. ભાગીદારી સાથે જોડાયેલા કાર્યોમાં ખૂબ લાભ પ્રાપ્ત કરશો.


શનિ અસ્ત એટલે શું? 


જ્યોતિષશાસ્ત્ર મુજબ, જ્યારે કોઈ પણ ગ્રહ સૂર્યની ખૂબ નજીક આવે છે, ત્યારે સૂર્યના તેજને કારણે તે ગ્રહ પ્રભાવહીન થઈ જાય છે. આ અવસ્થાને `અસ્ત` કહેવામાં આવે છે. શનિ ન્યાયના દેવતા છે. જ્યારે શનિ અસ્ત થાય છે, ત્યારે તેની કઠોર અસરોમાં થોડો ઘટાડો થાય છે, પરંતુ સાથે જ શનિ જે બાબતોના કારક છે (જેમ કે શિસ્ત અને ધીરજ) તેમાં થોડી કમી અથવા કાર્યોમાં વિલંબ પણ જોવા મળી શકે છે.

શનિદેવને પ્રસન્ન કરવાના સરળ ઉપાયો


શનિ અસ્ત હોય કે ઉદય, શનિદેવની કૃપા મેળવવા માટે નીચેના સાત્વિક ઉપાયો આ સમયગાળામાં ફળદાયી રહેશે:

હનુમાન ઉપાસના: શનિદેવને શાંત કરવા માટે નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરવો 

દીવો પ્રગટાવવો: શનિવારે સાંજે પીપળાના ઝાડ નીચે સરસીયાના તેલનો દીવો કરવો.

દાન-પુણ્ય: જરૂરિયાતમંદ લોકો અને શ્રમજીવી વર્ગને યથાશક્તિ મદદ કરવી અથવા કાળા વસ્ત્રો અથવા અડદની દાળનું દાન કરવું.

સદાચાર: શનિ ન્યાયના દેવતા હોવાથી, આ સમયગાળામાં સત્ય બોલવું અને પ્રામાણિકતા રાખવી.

મંત્ર: "ૐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનિશ્ચરાય નમઃ"

(ડિસ્ક્લેમર: આ લેખમાં આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણતરીઓ અને પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. દરેક વ્યક્તિની કુંડળી અલગ હોઈ શકે છે, તેથી ચોક્કસ માર્ગદર્શન માટે નિષ્ણાત જ્યોતિષીની સલાહ લેવી.)

Whatsapp-channel Whatsapp-channel

03 February, 2026 03:07 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK