Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > શું તમે પણ હેર ઍન્ગ્ઝાયટી અનુભવો છો?

શું તમે પણ હેર ઍન્ગ્ઝાયટી અનુભવો છો?

Published : 26 August, 2025 02:19 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જીવનશૈલી, આહાર, તનાવ અને પર્યાવરણ બધાં મળીને આ સમસ્યા વધારી શકે છે. કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને આ ચિંતા પર કાબૂ મેળવી શકાય છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વ્યક્તિના દેખાવને સુંદર બનાવતા વાળ ખરવાની કે પાતળા થવાની સમસ્યા અત્યારે ભલે કૉમન વાત હોય, પણ એને લીધે માનસિક તનાવ વધી રહ્યો છે. હેર ઍન્ગ્ઝાયટી માત્ર દેખાવ વિશેની ચિંતા નથી પણ માનસિક આરોગ્યને અસર કરતી ગંભીર સમસ્યા છે. જીવનશૈલી, આહાર, તનાવ અને પર્યાવરણ બધાં મળીને આ સમસ્યા વધારી શકે છે. કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને આ ચિંતા પર કાબૂ મેળવી શકાય છે.


મુખ્ય કારણો



હેક્ટિક લાઇફસ્ટાઇલમાં ઘણી વાર હૉર્મોનલ અસંતુલનને કારણે હેર ડૅમેજ થવા લાગે છે અથવા જરૂર કરતાં વધુ ખરવાની સમસ્યા થાય છે. આહારમાં આયર્ન, ઝિન્ક, વિટામિન A, C, D, E અને પ્રોટીન જેવાં જરૂરી પોષક તત્ત્વો સામેલ ન થાય તો વાળની તંદુરસ્તી પર અસર કરે છે. પ્રદૂષણ અને ખરાબ હવામાન વાળને નબળા બનાવે છે.  આ ઉપરાંત જો કોઈને થાઇરૉઇડ કે ઑટો ઇમ્યુન જેવી બીમારીઓ હોય અને વારસાગત કારણો હોય તો એ તમારા વાળને વધુ નબળા બનાવે છે.


શું કરી શકાય?

હેર ઍન્ગ્ઝાયટીને દૂર કરવા માટે કેટલાંક પરિબળોને ધ્યાનમાં રાખીને એના પર કામ કરવું અત્યાવશ્યક છે. એમાં આહારમાં પોષણ પ્રાથમિકતા છે. હેર-હેલ્થને પ્રમોટ કરતા આહારને ડાયટમાં સામેલ કરવો અને યોગ સાથે મેડિટેશન અને નિયમિત કસરત કરીને સ્ટ્રેસ-મૅનેજમેન્ટ કરવું. વાળ ખરવાની સમસ્યા વકરી ગઈ હોય તો તાત્કાલિક ડર્મેટોલૉજિસ્ટ કે ટ્રાઇકોલૉજિસ્ટની સલાહ લેવી અને રાસાયણરહિત માઇલ્ડ શૅમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ કરવો.


Whatsapp-channel Whatsapp-channel

26 August, 2025 02:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK