Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > અથાણું બનાવતી વખતે આટલું ધ્યાન રાખજો

અથાણું બનાવતી વખતે આટલું ધ્યાન રાખજો

Published : 23 April, 2026 03:10 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અથાણું હંમેશાં કાચની બરણીમાં અથવા ચિનાઈ માટીના વાસણમાં જ ભરવું. પ્લાસ્ટિક કે સ્ટીલના વાસણમાં લાંબો સમય અથાણું રાખવાથી એની રાસાયણિક પ્રતિક્રિયા થઈ શકે છે અને સ્વાદ બગડી શકે છે.

અથાણું બનાવતી વખતે આટલું ધ્યાન રાખજો

અથાણું બનાવતી વખતે આટલું ધ્યાન રાખજો


 અથાણું બગડવાનું મુખ્ય કારણ ભેજ છે. કેરી કે ગૂંદાં જે પણ વાપરો એને ધોયા પછી કોરા કપડા પર ફેલાવીને પાંચથી છ કલાક સુધી પંખા નીચે અથવા હળવા તડકામાં સૂકવો. એમાં સહેજ પણ પાણીનો અંશ ન રહેવો જોઈએ.
 અથાણું હંમેશાં કાચની બરણીમાં અથવા ચિનાઈ માટીના વાસણમાં જ ભરવું. પ્લાસ્ટિક કે સ્ટીલના વાસણમાં લાંબો સમય અથાણું રાખવાથી એની રાસાયણિક પ્રતિક્રિયા થઈ શકે છે અને સ્વાદ બગડી શકે છે.
 અથાણામાં મીઠું થોડું ચડિયાતું હોવું જોઈએ. મીઠું અથાણાને ગળવા દેતું નથી અને એને બગડતું અટકાવે છે. અથાણું બરણીમાં ભરતાં પહેલાં થોડી હિંગ સળગતા કોલસા પર મૂકી બરણી ઊંધી રાખીને પછી અથાણું ભરશો તો સરસ સુગંધ આવશે અને બગડશે પણ નહીં.


Whatsapp-channel Whatsapp-channel

23 April, 2026 03:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK