Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > સ્તનપાનને અઘરું માનીને છોડતાં પહેલાં એક વખત લૅક્ટેશન સ્પેશ્યલિસ્ટને મળી લો

સ્તનપાનને અઘરું માનીને છોડતાં પહેલાં એક વખત લૅક્ટેશન સ્પેશ્યલિસ્ટને મળી લો

Published : 11 September, 2026 01:33 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્તનપાન બાળકના વિકાસ અને સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્ત્વનું છે. છ મહિના સુધી ફક્ત સ્તનપાન અને ત્યાર બાદ ખોરાક સાથે બે વર્ષ સુધી સ્તનપાનની સલાહ આપવામાં આવે છે. સમસ્યા હોય તો લૅક્ટેશન સ્પેશ્યલિસ્ટની મદદ લેવી જોઈએ.

પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર


સ્તનપાન એ દરેક બાળકનો હક છે અને દરેક માતાનું ગર્વ. બાળક માટે એ જ અમૃત છે અને એના દ્વારા જ તે આ દુનિયામાં ટકી રહેવાની શક્તિ મેળવે છે. એના દ્વારા તેનો વિકાસ થાય છે. માતા પોતાના દૂધથી બાળકને સીંચે છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના રેકમેન્ડેશન મુજબ બાળકને ૬ મહિના સુધી ફક્ત સ્તનપાન પર જ રાખવું જોઈએ. ૬ મહિના પછી તેને બહારનો ખોરાક શરૂ કરી શકાય છે. બહારના ખોરાકની સાથે-સાથે બાળકને બે વર્ષની ઉંમર સુધી સ્તનપાન કરાવવું જોઈએ. 
આજકાલ ઘણી સ્ત્રીઓને એ શંકા હોય છે કે તેને દૂધ આવશે કે નહીં આવે. ખાસ કરીને જો સંતાનો જોડિયા હોય કે ટ્રિપ્લેટસ હોય તો આ શંકા પુખ્ત બની જાય છે અને સ્ત્રી મનમાં જ વિચારી લે છે કે બાળકને સ્તનપાન કરાવવાનું શક્ય જ નથી. જે સ્ત્રી પ્રેગ્નન્ટ બને છે અને જે સ્ત્રી બાળકને જન્મ આપે છે તે બધી સ્ત્રીને દૂધ આવે જ છે. એ શક્ય જ નથી કે કોઈ સ્ત્રીને દૂધ ન આવે. એટલે આ પ્રકારની કોઈ શંકા સ્ત્રીએ રાખવી જ નહીં. ઘણી સ્ત્રીઓને એ પણ શંકા હોય છે કે બાળકને સ્તનપાન કરતાં આવડતું હશે કે શીખવવું પડશે. આપણે બધા સસ્તન વર્ગનાં પ્રાણીઓ ગણાઈએ અને એટલે જ આપણાં બાળકોને સ્તનપાન કેમ કરાવવું એ શીખવવું પડતું નથી, તેમને આવડતું જ હોય છે.  
આજકાલ બજારમાં ઘણાં ફૉર્મ્યુલા મિલ્ક આવી ગયાં છે જે નવજાત બાળકને પોષણ આપી શકે છે, ખાસ કરીને ત્યારે જ્યારે તેની માતાને દૂધ સંબંધિત પ્રૉબ્લેમ હોય. આ દૂધને ખોરાક નહીં પણ દવા સમજવું. એટલે કે જ્યારે અત્યંત જરૂરી હોય ત્યારે જ આપવું અને બને તો એવી કોશિશ કરવી કે એની જરૂર જ ન પડે. એનું મહત્ત્વનું કારણ એ છે કે ફૉર્મ્યુલા મિલ્કની એક વખત જો બાળકને આદત પડી ગઈ તો તે માતાનું દૂધ પીવાનું મૂકી દે છે. બાળકમાં માનવસહજ સ્વભાવ જ હોય છે. જો તેને મહેનત વગર એમ ને એમ ખોરાક મળતો હોય તો તે સ્તનપાન કરવાની મહેનત કરતું નથી. જો તે સ્તનપાન ન કરે તો દૂધ આવવાનું એમ ને એમ જ બંધ થઈ જાય છે. આ એક ચક્ર છે જેનાથી બચવું જોઈએ. બાળકને નથી ખબર કે તેના માટે શું સારું છે એટલે આ બાબતે આપણે જ ધ્યાન રાખવું જોઈએ. બાળક માટે માતાનું દૂધ જ શ્રેષ્ઠ છે. એની જગ્યા કોઈ ફૉર્મ્યુલા મિલ્ક ન લઈ શકે. જો સ્તનપાનને લગતી કોઈ સમસ્યા હોય તો લૅક્ટેશન સ્પેશ્યલિસ્ટને મળો, પણ સ્તનપાન અઘરું પડે છે એમ માનીને છોડી ન દો.


Whatsapp-channel Whatsapp-channel

11 September, 2026 01:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK