Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદનો અટલ બ્રિજ બન્યો આવકનું સાધન

અમદાવાદનો અટલ બ્રિજ બન્યો આવકનું સાધન

Published : 06 November, 2025 08:46 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૭૪ કરોડ રૂપિયાના ખર્ચે સહેલાણીઓ માટે બનેલા આ બ્રિજથી કૉર્પોરેશનને ત્રણ વર્ષમાં ૨૭.૭૦ કરોડ રૂપિયાની આવક થઈ : ત્રણ વર્ષમાં ૭૭ લાખથી વધુ મુલાકાતીઓએ લટાર મારી આ બ્રિજ પર

અમદાવાદમાં સાબરમતી નદી પર સહેલાણીઓ માટે બનાવવામાં આવેલો આઇકૉનિક અટલ બ્રિજ

અમદાવાદમાં સાબરમતી નદી પર સહેલાણીઓ માટે બનાવવામાં આવેલો આઇકૉનિક અટલ બ્રિજ


અમદાવાદમાં સાબરમતી નદી પર સહેલાણીઓ માટે બનાવવામાં આવેલો આઇકૉનિક અટલ બ્રિજ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનવાની સાથે-સાથે મ્યુનિસિપલ કૉર્પોરેશન માટે આવકનું સાધન બન્યો છે અને માત્ર ત્રણ વર્ષમાં જ કરોડો રૂપિયાની આવક આ બ્રિજ દ્વારા થઈ છે. ત્રણ વર્ષમાં ૭૭ લાખથી વધુ મુલાકાતીઓએ આ બ્રિજ પર લટાર મારી છે, એનાથી ૨૭ કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૨ની ૨૭ ઑગસ્ટે અટલ બ્રિજને લોકાર્પણ કર્યો હતો. એ બાદ આ બ્રિજ આધુનિક આર્કિટેક્ચરની સાથે અમદાવાદના સૌંદર્યનું પ્રતીક બની ગયો છે. દિવાળી-વેકેશન, સમર-વેકેશન કે કોઈ પણ પર્વ હોય... અટલ બ્રિજ સહેલાણીઓ માટે હરવા-ફરવા માટેનું એક ડેસ્ટિનેશન બન્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિમિટેડના જણાવ્યા મુજબ ૩૧ ઑગસ્ટ ૨૦૨૨થી ઑક્ટોબર ૨૦૨૫ સુધીમાં કુલ ૭૭,૭૧,૨૬૯ લોકોએ અટલ બ્રિજની મુલાકાત લીધી છે. એના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનને ૨૭.૭૦ કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. આ બ્રિજ બનાવવા માટે ૭૪ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

06 November, 2025 08:46 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK