Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગ્રામપંચાયતની સરપંચની ચૂંટણીમાં ગુજરાતના પ્રધાનપુત્રનો પરાજય

ગ્રામપંચાયતની સરપંચની ચૂંટણીમાં ગુજરાતના પ્રધાનપુત્રનો પરાજય

Published : 26 June, 2025 11:34 AM | IST | Gandhinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જીતપુર ગ્રુપ ગ્રામપંચાયતમાં રાજ્યકક્ષાના પ્રધાન ભીખુસિંહજી પરમારના પુત્ર કિરણસિંહ પરમાર હારી ગયા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગુજરાતમાં યોજાયેલી ગ્રામપંચાયતની ચૂંટણીના ગઈ કાલે જાહેર થયેલા રિઝલ્ટમાં અરવલ્લી જિલ્લાની એક ગ્રામપંચાયતની સરપંચની ચૂંટણીમાં ગુજરાત સરકારના પ્રધાનપુત્રનો પરાજય થયો છે.


ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા તેમ જ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન ભીખુસિંહજી પરમારના પુત્ર કિરણસિંહજી પરમારે જીતપુર ગ્રુપ ગ્રામપંચાયતમાં સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. મતદાન બાદ હાથ ધરાયેલી મતગણતરીમાં કિરણસિંહજી પરમારનો મંગળસિંહ પરમાર સામે પરાજય થયો હતો. પ્રધાનના પુત્રની ગ્રામપંચાયતના સરપંચની ચૂંટણીમાં હાર થતાં આ વિસ્તારમાં અચરજ ફેલાઈ ગયું છે. જોકે ચૂંટણીમાં મતદારોએ જે ચુકાદો આપ્યો એને પ્રધાન ભીખુસિંહજી પરમાર અને તેમના પુત્ર કિરણસિંહ પરમારે શિરોમાન્ય ગણ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

26 June, 2025 11:34 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK