Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સોમનાથ મહાદેવનાં દર્શન કરશે અને સાસણગીરના સાવજ નિહાળશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સોમનાથ મહાદેવનાં દર્શન કરશે અને સાસણગીરના સાવજ નિહાળશે

Published : 10 October, 2025 11:07 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મંદિરમાં જઈને ભગવાન દ્વારકાધીશનાં દર્શન કરીને પ્રભુની આરતી ઉતારશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વવિખ્યાત યાત્રાધામ સોમનાથ અને દ્વારકાની મુલાકાત લઈને ભગવાન શ્રી સોમનાથ મહાદેવનાં અને ભગવાન શ્રી દ્વારકાધીશનાં દર્શન કરશે. એટલું જ નહીં, તેઓ સાસણગીરમાં આવેલા જગપ્રસિદ્ધ ગીર નૅશનલ પાર્કમાં સિંહોને જોવા જશે. આ ઉપરાંત સોમનાથ મંદિરના પરિસરમાં મૂકવામાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ ઉપરાંત સ્થાનિક આદિવાસી સમાજના લોકો સાથે વાતચીત કરશે. આ પછી ૧૧ ઑક્ટોબરે ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકા જશે. ત્યાં મંદિરમાં જઈને ભગવાન દ્વારકાધીશનાં દર્શન કરીને પ્રભુની આરતી ઉતારશે. સાંજે તેઓ અમદાવાદમાં આવેલી ગુજરાત વિદ્યાપીઠમાં કૉન્વોકેશનમાં હાજરી આપશે.


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2025 11:07 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK