Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમરેલીમાં ટ્રેનના પાઇલટની સમયસૂચકતાથી ટળી દુર્ઘટના

અમરેલીમાં ટ્રેનના પાઇલટની સમયસૂચકતાથી ટળી દુર્ઘટના

Published : 25 January, 2026 11:35 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચિતલ અને ખીજડિયા વચ્ચે રેલવે-ટ્રૅક પર કોઈકે પથ્થર અને ફેન્સિંગ-પોલ મૂકી દીધા : રેલવે ઉથલાવવાનો પ્રયાસ કે ટીખળ? પોલીસે હાથ ધરી તપાસ

ડૉગ-સ્ક્વૉડ સાથે ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ.

ડૉગ-સ્ક્વૉડ સાથે ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ.


સૌરાષ્ટ્રમાં ગુરુવારે અમરેલી જિલ્લાના ચિતલ અને ખીજડિયા રેલવે સ્ટેશન વચ્ચે અજાણ્યા લોકોએ રેલવે-ટ્રૅક પર પથ્થર અને ફેન્સિંગ-પોલ મૂકી દીધા હતા. જોકે ટ્રેનના લોકો પાઇલટની સમયસૂચકતાથી ટ્રેન અટકાવી દેવાતાં સંભવિત દુર્ઘટના ટળી હતી. આ કોઈનું ટ્રેન ઊથલાવી દેવાનું કાવતરું હતું કે ટીખળ હતી એ દિશામાં રેલવે સુરક્ષાદળ સહિતની પોલીસે તપાસ હાથ ધરી છે.   
ભાવનગર–પોરબંદર પૅસેન્જર ટ્રેન ગુરુવારે પસાર થઈ રહી હતી ત્યારે લોકો પાઇલટે દૂરથી ટ્રૅક પર પથ્થર અને ફેન્સિંગ-પોલ પડેલા જોયા હતા એટલે તેણે સમયસૂચકતા વાપરીને ટ્રેન રોકી દીધી હતી. ટ્રૅક પરથી પથ્થર અને ફેન્સિંગ-પોલ હટાવ્યા બાદ ટ્રેન રવાના કરવામાં આવી હતી. લોકો પાઇલટે આ ઘટના વિશે રેલવે વિભાગને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં રેલવે વિભાગના અધિકારીઓ અને રેલવે પ્રોટેકશન ફોર્સ ઉપરાંત સ્થાનિક પોલીસ, ડૉગ સ્ક્વૉડ સહિતની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આ કોઈ તોફાની તત્ત્વોનું અડપલું હતું કે ટ્રેન ઉથલાવવા માટેની સાજિશ હતી એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.


Whatsapp-channel Whatsapp-channel

25 January, 2026 11:35 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK