દ્વારકા, શિવરાજપુર, ઉમરગામ, દાંડી, ડુમ્મસ, મહુવા, પોરબંદર અને રવાલપીર સહિતના બીચ પર સફાઈકામ હાથ ધરીને કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો
ગુજરાતમાં બાવીસમી મેથી પાંચમી જૂન દરમ્યાન રાજ્યવ્યાપી જાગૃતિ અભિયાન યોજાયું હતું
વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં બાવીસમી મેથી પાંચમી જૂન દરમ્યાન રાજ્યવ્યાપી જાગૃતિ અભિયાન યોજાયું હતું જેમાં બીચ ક્લીન-અપ ડ્રાઇવમાં જુદા-જુદા ૧૨ બીચ પરથી પ્લાસ્ટિક સહિતનો ૧૮,૩૫૦ કિલો કચરો એકઠો કરવામાં આવ્યો હતો. દ્વારકા, શિવરાજપુર, ઉમરગામ, દાંડી, ડુમ્મસ, મહુવા, પોરબંદર અને રવાલપીર સહિતના બીચ પર સફાઈકામ હાથ ધરીને કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો અને બીચની સાફસફાઈ કરવામાં આવી હતી.

