Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > બલૂચોએ ભારત પ્રતિ એકનિષ્ઠતા દર્શાવતાં કહ્યું ૬૦ મિલ્યન બલૂચ લોકોનું ભારતને સમર્થન

બલૂચોએ ભારત પ્રતિ એકનિષ્ઠતા દર્શાવતાં કહ્યું ૬૦ મિલ્યન બલૂચ લોકોનું ભારતને સમર્થન

Published : 12 May, 2025 01:42 PM | IST | Islamabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બલૂચ સેના અને પાકિસ્તાની સેના વચ્ચે સતત સંઘર્ષ જારી છે. જેમ ચીન ઉઇઘર મુસ્લિમો સાથે અમાનવીય વ્યવહાર કરે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારત અને પાકિસ્તાન વચ્ચે એકબીજા દેશ પર સૈન્ય કાર્યવાહી રોકવા માટે સહમતી બાદ બલૂચિસ્તાનના લોકોએ ભારત પ્રતિ તેમની એકનિષ્ઠતા વ્યક્ત કરી છે. બલૂચ લેખક મીર યાર બલોચે પાકિસ્તાનમાં બલૂચિસ્તાનના લોકો ભારતને ટેકો આપતાં પ્લૅકાર્ડ લઈને ઊભાં છે એવા ફોટોગ્રાફ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર શૅર કર્યા હતા. તેમણે લખ્યું હતું કે ‘એકતાની કોઈ સરહદ નથી, ચીન પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે, પરંતુ બલૂચિસ્તાન અને તેના લોકો ભારત સરકાર સાથે છે. ૬૦ મિલ્યન બલૂચ લોકો ભારતની સાથે છે.’


બલૂચિસ્તાનના લોકો જે પ્લૅકાર્ડ્સ લઈને ઊભાં હતાં એના પર લખવામાં આવ્યું હતું કે ‘બલૂચ અને ભારતની મિત્રતા એકમાત્ર શસ્ત્ર છે જે શેતાન પાકિસ્તાનને નુકસાન પહોંચાડશે અને તેનો નાશ કરશે.’



ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમયથી બલૂચિસ્તાન પાકિસ્તાન પાસે આઝાદીની માગણી કરી રહ્યું છે. બલૂચ સેના અને પાકિસ્તાની સેના વચ્ચે સતત સંઘર્ષ જારી છે. જેમ ચીન ઉઇઘર મુસ્લિમો સાથે અમાનવીય વ્યવહાર કરે છે એમ પાકિસ્તાન બલૂચી લોકો સાથે અમાનવીય વ્યવહાર કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2025 01:42 PM IST | Islamabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK