Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > જામનગરમાં મીઠાઈના જાણીતા વેપારીનો આપઘાત

જામનગરમાં મીઠાઈના જાણીતા વેપારીનો આપઘાત

Published : 11 July, 2025 09:55 AM | IST | Jamnagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જયંત વ્યાસે રિવૉલ્વરમાંથી પોતાને જ ગોળી મારી

જામનગરમાં જાણીતા મીઠાઈના વેપારી જયંત વ્યાસ

જામનગરમાં જાણીતા મીઠાઈના વેપારી જયંત વ્યાસ


સૌરાષ્ટ્રના જામનગરમાં જાણીતા મીઠાઈના વેપારી જયંત વ્યાસે ગઈ કાલે મંદિર પાસે રિવૉલ્વરમાંથી જાતે જ પોતાને ગોળી મારીને આપઘાત કરી લેતાં શહેરમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી.


જામનગર સિટી બી ડિવિઝન પોલીસ-સ્ટેશને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારના સમયે જયંત વ્યાસે નાગેશ્વર વિસ્તારમાં આવેલા બાલનાથ મહાદેવ મંદિર પાસે પોતાની પાસે રહેલી રિવૉલ્વરથી જાતે જ ગળાના ભાગે ગોળી મારી દીધી હતી. તેઓને સારવાર માટે તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેઓનું મૃત્યુ થયું હતું.’



જામનગરમાં એચ. જે. વ્યાસના નામથી મીઠાઈની દુકાન આવેલી છે જે પ્રખ્યાત છે. જયંત વ્યાસ એના માલિક હતા. ચર્ચાઈ રહ્યું છે કે તેમનાં પત્નીના અવસાન બાદ તેઓ ચૂપચાપ રહેતા હતા. પોલીસે આ કેસમાં આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.


Whatsapp-channel Whatsapp-channel

11 July, 2025 09:55 AM IST | Jamnagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK