પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે પાકિસ્તાન હવે પોતાને અફઘાનિસ્તાન સાથે ‘ખુલ્લા યુદ્ધ’ની સ્થિતિમાં માને છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનની ધીરજ ખૂટી ગઈ છે અને મોટા પાયે લશ્કરી કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
પાકિસ્તાન-અફઘાનિસ્તાન સીમા નજીક સૈનિકો તહેનાત કરાયા (તસવીર: એજન્સી)
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સંઘર્ષ સતત વધી રહ્યો છે. શુક્રવારે, અફઘાનિસ્તાને કહ્યું કે તેણે પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓ પર ડ્રોન હુમલા કર્યા છે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેની ઍન્ટી-ડ્રોન સિસ્ટમે બધા ડ્રોનને તોડી પાડ્યા હતા અને કોઈ જાનહાનિ થઈ નથી.
અફઘાનિસ્તાનને પાકિસ્તાનની ઍરસ્ટ્રાઈકનો જવાબ આપ્યો
ADVERTISEMENT
ગુરુવારે મોડી રાત્રે અફઘાન સેનાએ છ સરહદી પ્રાંતોમાં હુમલા શરૂ કર્યા હતા. અફઘાન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે રવિવારે અફઘાન સરહદી વિસ્તારોમાં પાકિસ્તાનના હવાઈ હુમલાના જવાબમાં આ હુમલા કરવામાં આવ્યા હતા. પાકિસ્તાને અગાઉ દાવો કર્યો હતો કે પાકિસ્તાનમાં તાજેતરના હુમલાઓ અને આત્મઘાતી બૉમ્બ વિસ્ફોટો પાછળ અફઘાનિસ્તાનમાં સ્થિત આતંકવાદી જૂથોનો હાથ હતો અને તેની પાસે આના ‘પુરાવા’ છે. અફઘાન અધિકારીઓએ અહેવાલ આપ્યો હતો કે શુક્રવારે સવારે નાંગરહાર પ્રાંતના તોરખામ સરહદી વિસ્તારમાં લડાઈ ચાલુ રહી હતી. અફઘાન પક્ષે એવો પણ આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાન તરફથી છોડવામાં આવેલા મોર્ટાર શૅલ નાગરિક વિસ્તારોમાં પડ્યા હતા, જેમાં રાતોરાત ખાલી કરાયેલા શરણાર્થી શિબિરનો પણ સમાવેશ થાય છે.
ઇસ્લામાબાદ અને અન્ય લશ્કરી ચોકીઓ પર હુમલાના દાવા
Official `X` Account of Ministry of National Defense, Afghanistan (@MoDAfghanistan2), posts, "military positions in Jamrud, and additional locations in Abbottabad. The aerial operation was successfully executed, targeting key Pakistani military bases, command centers, and… pic.twitter.com/4RzOqpsouL
— Press Trust of India (@PTI_News) February 27, 2026
અફઘાન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે શુક્રવારે સવારે 11 વાગ્યાની આસપાસ અનેક પાકિસ્તાની લશ્કરી ચોકીઓને નિશાન બનાવવામાં આવી હતા. આમાં ઇસ્લામાબાદના ફૈઝાબાદ વિસ્તાર નજીક એક લશ્કરી ચોકી અને ખૈબર પખ્તુનખ્વામાં નૌશેરા કેન્ટ, જમરુદ અને એબોટાબાદમાં લશ્કરી છાવણીઓનો સમાવેશ થાય છે. તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદને ટાંકીને અહેવાલ આપવામાં આવ્યો છે કે અફઘાન દળોએ 19 પાકિસ્તાની સરહદી ચોકીઓનો નાશ કર્યો છે. અફઘાનિસ્તાનનો દાવો છે કે 55 થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને ઘણા અન્યને પકડવામાં આવ્યા છે. આ હુમલાને 22 ફેબ્રુઆરીએ કાબુલ, નાંગરહાર અને ખોસ્ત સહિત અનેક શહેરો પર પાકિસ્તાનના હવાઈ હુમલાના જવાબ તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે.
પાકિસ્તાને શું કહ્યું?
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે પાકિસ્તાન હવે પોતાને અફઘાનિસ્તાન સાથે ‘ખુલ્લા યુદ્ધ’ની સ્થિતિમાં માને છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનની ધીરજ ખૂટી ગઈ છે અને મોટા પાયે લશ્કરી કાર્યવાહી શરૂ કરવામાં આવશે. પાકિસ્તાનના માહિતી મંત્રી અત્તાઉલ્લાહ તરારએ જણાવ્યું હતું કે બે પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા. તેમણે 55 અફઘાન સૈનિકો માર્યા ગયા હોવાના દાવાઓને નકારી કાઢ્યા હતા. વડા પ્રધાન શાહબાઝ શરીફના પ્રવક્તાએ એમ પણ કહ્યું હતું કે કોઈપણ પાકિસ્તાની સૈનિકોને બંદી બનાવવામાં આવ્યા હોવાના અહેવાલો ખોટા છે. તેમણે દાવો કર્યો હતો કે 100 થી વધુ અફઘાન લડવૈયાઓ માર્યા ગયા હતા. પાકિસ્તાને એમ પણ કહ્યું હતું કે તેની એન્ટી-ડ્રોન સિસ્ટમે બધા ડ્રોનને તોડી પાડ્યા હતા અને કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, ડ્રોન હુમલાથી થયેલા વાસ્તવિક નુકસાનની વિગતો હજી સુધી જાહેર કરવામાં આવી નથી.
