યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઑફ ટ્રેઝરી દ્વારા 2012 ના નિવેદન મુજબ, હમઝા લશ્કર-એ-તય્યબાની કેન્દ્રીય સલાહકાર સમિતિનો ભાગ હતો અને હાફિઝ સઈદની સીધી દેખરેખ હેઠળ જૂથના બાહ્ય સંબંધોનું સંચાલન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
આમીર હમઝા
પાકિસ્તાનમાં શરણ લઈ રહેલા અનેક આતંકવાદીઓની અજાણ્યા શખ્સ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી રહી હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. પાકિસ્તાનથી ઓપરેટ કરતાં ટેરર ગ્રુપના લીડર્સ અને કમાન્ડર્સને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. આ વચ્ચે વધુ એક મોટા આતંકવાદીને ગોળી મરવામાં આવી છે, જેમાં તે ગંભીર રીતે જખમી થયો છે, અને તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે આતંકવાદી જૂથ લશ્કર-એ-તય્યબા (LeT) ના સહ-સ્થાપક અને વરિષ્ઠ નેતા આમિર હમઝાને તેના નિવાસસ્થાને ઇજાઓ થતાં પાકિસ્તાનના લાહોરમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી લશ્કર-એ-તય્યબાના વડા હાફિઝ મુહમ્મદ સઈદ અને જૂથના નાયબ અબ્દુલ રહેમાન મક્કી સાથે ગાઢ સંબંધ માટે જાણીતો હમઝાને સુરક્ષા વિભાગ હેઠળ સ્થાનિક મેડિકલ સુવિધામાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની ઇજાઓની પ્રકૃતિ અને હદ જાહેર કરવામાં આવી નથી. સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ ઘટના અંગે પાકિસ્તાની અધિકારીઓ અથવા લશ્કર-એ-તય્યબા તરફથી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.
ADVERTISEMENT
હમઝા લશ્કર-એ-તય્યબાના કેન્દ્રીય વ્યક્તિઓમાંનો એક છે. જૂથના સ્થાપક સભ્ય, તેણે વર્ષોથી અનેક મુખ્ય હોદ્દાઓ સંભાળ્યા છે અને લશ્કર-એ-તય્યબાના પ્રચાર વિંગ અને આઉટરીચ ઝુંબેશને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઑફ ટ્રેઝરી દ્વારા 2012 ના નિવેદન મુજબ, હમઝા લશ્કર-એ-તય્યબાની કેન્દ્રીય સલાહકાર સમિતિનો ભાગ હતો અને હાફિઝ સઈદની સીધી દેખરેખ હેઠળ જૂથના બાહ્ય સંબંધોનું સંચાલન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. 2010 સુધી, હમઝા લશ્કર-સંલગ્ન ચેરિટેબલ સંસ્થામાં પણ સેવા આપી હતી અને સઈદ દ્વારા દેખરેખ હેઠળ લશ્કર-એ-તય્યબા યુનિવર્સિટી ટ્રસ્ટમાં ઉચ્ચ પદ સંભાળ્યું હતું.
LeT co-founder Amir Hamza attacked at home in Lahore by “Unknown Men.”
— Sabru Foxtrot (@sabrufoxtrot) May 20, 2025
Pakistan’s most efficient delivery service strikes again - no tracking, no delays, just vibes. ??#UnknownMen #LeT pic.twitter.com/t6dDpepzce
યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ અનુસાર, 2010 સુધીમાં, હમઝા લશ્કર-એ-તય્યબાના પ્રચાર સામગ્રીના પ્રસારમાં સક્રિયપણે સામેલ હતો. તે જૂથના સાપ્તાહિક અખબારનું સંપાદન કરતો હતો અને નિયમિતપણે લેખોનું યોગદાન આપતો હતો. તે લશ્કર-એ-તય્યબાના ‘ખાસ ઝુંબેશ’ વિભાગનું પણ નેતૃત્વ કરતો હોવાનું કહેવાય છે, જે ચોક્કસ પહોંચ અને ગતિશીલતા પ્રયાસોનું સંકલન કરતો હતો. 2010ના મધ્યમાં, હમઝા લશ્કર-એ-તય્યબાના ત્રણ વરિષ્ઠ આતંકવાદીઓમાંનો એક હતો જેમણે સંગઠનના અટકાયત કરાયેલા સભ્યોની મુક્તિ માટે વાટાઘાટો કરી હતી.
પાકિસ્તાનમાં એક બાદ એક આતંકવાદીઓની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરવાનો સિલસિલો યથાવત્ છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતના મતલી ફલકારા ચોક વિસ્તારમાં લશ્કર એ-તય્યબા અને જમાતના નેતા રજુલ્લાહ નિઝામની ઉર્ફે અબુ સૈફુલ્લાહની હત્યા કરવામાં આવી છે. અજાણ્યા હુમલાખોરોએ લશ્કર કમાન્ડરને ધોળા દિવસે ગોળી મારીને વીંધી નાખ્યો હતો. અબુ સૈફુલ્લાહ ભારતમાં થયેલા ઘણા આતંકવાદી હુમલાઓનો માસ્ટરમાઇન્ડ હતો. સૈફુલ્લાહ ૨૦૦૬માં નાગપુરમાં RSSના મુખ્યાલય પર થયેલા હુમલાનો મુખ્ય આરોપી હોવાનું કહેવાય છે. આ ઉપરાંત તે 2001માં ઉત્તર પ્રદેશના રામપુરમાં CRPF કૅમ્પ પરના હુમલાનું અને ૨૦૦૫માં બૅન્ગલોરમાં ભારતીય વિજ્ઞાન કૉન્ગ્રેસ પરના હુમલાનું કાવતરું ઘડનાર પણ હોવાનું કહેવાય છે.

