Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વિશ્વે ન જોયું હોય એવું જહાજ આજે ભારતીય નૌકાદળમાં જોડાશે, ઇતિહાસ બનશે સાક્ષાત!

વિશ્વે ન જોયું હોય એવું જહાજ આજે ભારતીય નૌકાદળમાં જોડાશે, ઇતિહાસ બનશે સાક્ષાત!

Published : 21 May, 2025 04:31 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Indian Navy to get a new ship: આજે ભારતીય નૌકાદળને એક એવું જહાજ મળવા જઈ રહ્યું છે જે વિશ્વની અન્ય કોઈ નૌકાદળ પાસે નથી. આ જહાજ સદીઓ જૂની ટેકનૉલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. તેનો બીજો તબક્કો નૌકાદળમાં જોડાયા પછી શરૂ થશે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: સોશિયલ મીડિયા)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: સોશિયલ મીડિયા)


આજે ભારતીય નૌકાદળને એક એવું જહાજ મળવા જઈ રહ્યું છે જે વિશ્વની અન્ય કોઈ નૌકાદળ પાસે નથી. આના દ્વારા દુનિયા એ પણ જોશે કે પ્રાચીન કાળથી ભારતમાં જહાજો કેવી રીતે બનાવવામાં આવતા હતા અને આપણી નૌકાદળ શક્તિ કેટલી મજબૂત હતી. આ જહાજ સદીઓ જૂની ટેકનૉલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. તેનો બીજો તબક્કો નૌકાદળમાં જોડાયા પછી શરૂ થશે.


આ જહાજ સમુદ્ર પ્રવાસ પર જશે. આ જહાજ સદીઓ જૂના દરિયાઈ વેપાર માર્ગ દ્વારા ભારતથી બીજા દેશમાં જશે. આ પ્રૉજેક્ટ માટે ભારતીય નૌકાદળ, સંસ્કૃતિ મંત્રાલય અને ગોવા સ્થિત MSME (Micro, Small and Medium Enterprises) હોડી ઇનોવેશન્સે સાથે મળીને કામ કર્યું છે.



કેન્દ્રીય મંત્રી કરશે નામ જાહેર
આજે કારવાર નૌકાદળ મથક ખાતે આયોજિત એક સમારોહમાં, કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત જહાજનું નામ જાહેર કરશે અને તેને નૌકાદળમાં સામેલ કરશે. આ જહાજ 5મી સદી એડી (AD)ના એક પ્રાચીન જહાજનું પુનર્નિર્માણ છે અને અજંતા ગુફાઓના ચિત્રથી પ્રેરિત છે. જહાજનું નિર્માણ ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ ચાલુ કરવામાં આવ્યું હતું.


કેરળના કારીગરોએ કામ કર્યું છે
આ જહાજ કેરળના કારીગરો દ્વારા પરંપરાગત પદ્ધતિઓ અને કુદરતી સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું. આ ટીમનું નેતૃત્વ પ્રખ્યાત શિપબિલ્ડર બાબુ શંકરન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે જહાજમાં હજારો સાંધા હાથથી સીવ્યા હતા. સમગ્ર પ્રોજેક્ટનું નિરીક્ષણ ભારતીય નૌકાદળ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં જહાજની ડિઝાઇન, ટેકનિકલ નિરીક્ષણ અને બાંધકામનો સમાવેશ થાય છે. આ પ્રકારના જહાજની કોઈ જૂની ડિઝાઇન કે માળખું બચ્યું નથી તેથી તેની સંપૂર્ણ રૂપરેખા અજંતા ચિત્રોમાંથી તૈયાર કરવી પડી હતી.

આધુનિક જહાજોથી ખૂબ જ અલગ
ભારતીય નૌકાદળના પ્રવક્તા કેપ્ટન વિવેક માધવાલે જણાવ્યું હતું કે આ જહાજ આજના આધુનિક જહાજોથી સંપૂર્ણપણે અલગ છે. તેમાં ચોરસ સઢ અને લાકડાના હલ છે અને તે હાથથી ચાલતા હલેસાં દ્વારા નિયંત્રિત થાય છે. નૌકાદળે જહાજની ડિઝાઇનની તપાસ કરવા માટે IIT મદ્રાસના મરીન એન્જિનિયરિંગ વિભાગની મદદ લીધી અને તેની તાકાતનું જાતે પરીક્ષણ પણ કર્યું. નૌકાદળમાં જોડાયા પછી, નૌકાદળ આ જહાજને જૂના દરિયાઈ વેપાર માર્ગો પર ચલાવશે. તેની પહેલી દરિયાઈ સફર ગુજરાત અને ઓમાન વચ્ચે થશે, જેની તૈયારીઓ પહેલાથી જ શરૂ થઈ ગઈ છે. આ જહાજ 5મી સદી એડી (AD)ના એક પ્રાચીન જહાજનું પુનર્નિર્માણ છે અને અજંતા ગુફાઓના ચિત્રથી પ્રેરિત છે. આ જહાજ સદીઓ જૂની ટેકનૉલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. તેનો બીજો તબક્કો નૌકાદળમાં જોડાયા પછી શરૂ થશે.


Whatsapp-channel Whatsapp-channel

21 May, 2025 04:31 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK