ન્યૂ યૉર્કના મેયર ઝોહરાન મમદાનીએ પણ મોહન ભાગવતના કાર્યક્રમ સામે વાંધો ઉઠાવ્યો છે. મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા, તેમણે નોંધ્યું હતું કે ભલે તેમની પાસે ખાનગી કાર્યક્રમ રદ કરવાનો અધિકાર ન હોય, પરંતુ તેઓ તેનું સમર્થન કરતા નથી.
ટાઈમ સ્ક્વૅર પર મોહન ભાગવતની જાહેરાત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવત હાલમાં અમેરિકાની મુલાકાતે છે. શનિવારે ન્યૂયૉર્કના મૅડિસન સ્ક્વૅર ગાર્ડન ખાતે તેમના મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારતીય માનક સમય મુજબ, આ કાર્યક્રમ શનિવારની મોડી રાતથી રવિવારની વહેલી સવાર સુધી ચાલશે. આ કાર્યક્રમનું આયોજન `અમેરિકન હિન્દુઝ ફોર ઍન્ગેજમેન્ટ એન્ડ ડાયલોગ` (AHEAD) ફોરમ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેને `યુનિવર્સલ વનનેસ સૅલિબ્રેશન` નામ આપવામાં આવ્યું છે. જોકે, આ કાર્યક્રમનો અમેરિકામાં પણ વિરોધ થયો છે. માનવ અધિકાર અને લઘુમતી અધિકાર સંગઠનો, તેમજ અનેક હિન્દુ જૂથોએ તેનો વિરોધ કર્યો છે. વિરોધી સંગઠનો દલીલ કરે છે કે મોહન ભાગવતને બધા હિન્દુઓના પ્રતિનિધિ તરીકે રજૂ કરવા અયોગ્ય છે.
61 સંગઠનોનો વિરોધ
ADVERTISEMENT
‘હિન્દુઝ ફોર હ્યુમન રાઇટ્સ’ ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુનીતા વિશ્વનાથે જણાવ્યું હતું કે 61 વિવિધ ધાર્મિક અને બિનસાંપ્રદાયિક સંગઠનોએ ભાગવતના કાર્યક્રમનો વિરોધ કરતા ઓપન લેટર પર હસ્તાક્ષર કર્યા છે. આ સંગઠનોના સભ્યો કાર્યક્રમ દરમિયાન મૅડિસન સ્ક્વૅર ગાર્ડનમાં ભેગા થવાની યોજના ધરાવે છે. તેઓ માને છે કે RSS ની હિન્દુત્વ વિચારધારા બધા હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરતી નથી. અગાઉ, મંગળવારે, હિન્દુઝ ફોર હ્યુમન રાઇટ્સ, ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ અને ઇન્ટરફેથ સેન્ટર ઓફ ન્યૂ યૉર્ક સહિત અનેક ધાર્મિક અને નાગરિક અધિકાર સંગઠનોએ ન્યૂ યૉર્ક સિટી હોલની બહાર એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ જૂથોએ આ કાર્યક્રમ રદ કરવાની માગ કરી હતી. જોકે, તેમની માગણી પૂર્ણ થઈ ન હતી, અને કાર્યક્રમ નિર્ધારિત સમય મુજબ ચાલી રહ્યો છે.
#WATCH | RSS Sarsanghchalak Mohan Bhagwat paid a visit to the ISKCON temple in New York during his US trip. As part of the visit, he also took part in a food distribution initiative aimed at helping homeless people in the city. pic.twitter.com/TsIg8HXcAT
— ANI (@ANI) August 28, 2026
ઝોહરાન મમદાનીએ પણ વિરોધ વ્યક્ત કર્યો
ન્યૂ યૉર્કના મેયર ઝોહરાન મમદાનીએ પણ મોહન ભાગવતના કાર્યક્રમ સામે વાંધો ઉઠાવ્યો છે. મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા, તેમણે નોંધ્યું હતું કે ભલે તેમની પાસે ખાનગી કાર્યક્રમ રદ કરવાનો અધિકાર ન હોય, પરંતુ તેઓ તેનું સમર્થન કરતા નથી. મમદાનીએ કહ્યું, "મારી માતાનો પરિવાર ભારતમાં રહે છે. મને જે ભારતની છબી બતાવવામાં આવી હતી તે એવી હતી જ્યાં વિવિધ લોકો સાથે રહે છે - એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર જે દરેકને સ્વીકારે છે. RSS જેવી ચળવળોનો ઉદય - જે અન્ય લોકોને બાકાત રાખવા પર આધારિત છે - ખૂબ જ ચિંતાજનક છે. હું આ વિચારધારાનો સખત વિરોધ કરું છું." ડેમોક્રેટિક ઉમેદવાર બ્રેડ લેન્ડરે પણ આ કાર્યક્રમનો વિરોધ કરતા કહ્યું કે, "અમે મૅડિસન સ્ક્વૅર ગાર્ડનમાં મોહન ભાગવતના કાર્યક્રમનો વિરોધ કરીએ છીએ. મોહન ભાગવત અને આરએસએસના દ્વેષ માટે આપણા શહેરમાં કોઈ સ્થાન નથી." જોકે મોટાભાગના લોકો RSS અને મોહન ભાગવતની સભાનું સમર્થન પણ કરી રહ્યા છે.
