એનએચએસારસીએલના અધિકારીઓએ આ અકસ્માત વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે રવિવારે રાતે લગભગ 11 વાગ્યે આ અકસ્માત અમદાવાદ-મુંબઈ રૂટ પર વટવામાં થયો. આ ઘટનામાં કોઈના ઈજાગ્રસ્ત થવાની માહિતી નથી.
તસવીર સૌજન્ય મિડ-ડે
ગુજરાતમાં અમદાવાદ અને મુંબઈ વચ્ચે બનતા બુલેટ ટ્રેન પ્રૉજેક્ટના રૂટ પર રવિવારે રાતે ગંભીર અકસ્માત થયો. એનએચએસારસીએલના અધિકારીઓએ આ અકસ્માત વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે રવિવારે રાતે લગભગ 11 વાગ્યે આ અકસ્માત અમદાવાદ-મુંબઈ રૂટ પર વટવામાં થયો. આ ઘટનામાં કોઈના ઈજાગ્રસ્ત થવાની માહિતી નથી.
ગુજરાતમાં અમદાવાદ અને મુંબઈ વચ્ચે બનતા બુલેટ ટ્રેન પ્રૉજેક્ટના રૂટ પર રવિવારે રાતે ગંભીર અકસ્માત થયો. અહીં નિર્મામ કાર્ય વચ્ચે સેગમેન્ટલ લૉન્ચિંગ ગૈન્ટ્રી લપસીને રેલવે લાઈન પર પડી ગઈ. અધિકારીઓએ આ વિશે માહિતી આપી છે. આમ થવાથી ઓછામાં ઓછી 25 ટ્રેનો રદ કરી દેવામાં આવી. એટલું જ નહીં 15 અન્યને આંશિક રીતે રદ કરવામાં આવી છે. સાથે જ પાંચ ટ્રેનોને રિશેડ્યૂલ કરવામાં આવી છે અને છ રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
NHSRCLના અધિકારીઓએ જણાવ્યું કે કેવી રીતે થયો અકસ્માત
નેશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશન (NHSRCL)ના અધિકારીઓએ આ અકસ્માત વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે રવિવારે રાતે લગભગ 11 વાગ્યે આ અકસ્માત અમદાવાદ-મુંબઈ રૂટ પર વટવામાં થયો. આ ઘટનામાં કોઈના ઈજાગ્રસ્ત થવાના સમાચાર નથી, પણ આથી રેલવે આવાગમન પર મોટો પ્રભાવ પડ્યો છે. અમદાવાદ ડિવીઝનના અધિકારીઓએ જણાવ્યું કે રેલવે લાઈનને ફરી સુચારૂ રૂપે ચલાવવા માટે રૂટની સફાઈ કરવામાં આવી રહી છે. એનએચએસઆરસીએલના વરિષ્ઠ અધિકારીઓ પહેલાથી જ પોલીસ અને અગ્નિશમન સેવા અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે.
આ ટ્રેનો રદ કરવામાં આવી હતી
અમદાવાદ રેલ્વે ડિવિઝનના અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટનાથી વટવા અને અમદાવાદ સ્ટેશનો વચ્ચે ડાઉન લાઇન પર રેલ ટ્રાફિકને અસર થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 25 ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે, 15 આંશિક રીતે રદ કરવામાં આવી છે, પાંચ ટ્રેનોનું સમયપત્રક બદલાયું છે અને છ ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. રદ કરાયેલી ટ્રેનોમાં વટવા-બોરીવલી એક્સપ્રેસ, અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ, વડોદરા-વટવા ઇન્ટરસિટી, અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન, જામનગર-વડોદરા ઇન્ટરસિટી, વડનગર-વલસાડ-વડનગર એક્સપ્રેસ અને વટવા-આનંદ મેમુનો સમાવેશ થાય છે. અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ હમસફર એક્સપ્રેસ, રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ અને કેટલીક અન્ય ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રેલવે અધિકારીઓએ મુસાફરો માટે હેલ્પલાઇન નંબર પણ જારી કર્યો છે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના બાંધકામ દરમિયાન વટવામાં ક્રેન તૂટી પડવાથી રેલ્વે કામગીરી પર ભારે અસર પડી છે. રેલવેએ ઘણી ટ્રેનો રદ કરી છે અને ઘણી ટ્રેનોને ડાયવર્ટ પણ કરી છે. પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને મદદ કરવા માટે હેલ્પલાઇન નંબરો પણ જારી કર્યા છે જેથી તેઓ આ નંબરો પરથી તેમની ટ્રેનોની સ્થિતિ જાણી શકે. એક નિવેદનમાં, રેલવેએ જણાવ્યું હતું કે વટવા-અમદાવાદ વચ્ચેની ડાઉન લાઇન પર ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ હતી કારણ કે આ લાઇનની આસપાસ કાર્યરત સેગમેન્ટલ લોન્ચિંગ ગેન્ટ્રીમાંથી એક ગર્ડરનું લોન્ચિંગ પૂર્ણ કર્યા પછી પાછી ખેંચાતી વખતે આકસ્મિક રીતે તેની જગ્યાએથી લપસી ગઈ હતી. જેના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. બુલેટ ટ્રેનના નિર્માણ દરમિયાન ક્રેન પડી જવાની આ પહેલી ઘટના નથી. ગયા વર્ષે નવેમ્બરમાં ક્રેન પડી ગઈ હતી.

