Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નરેન્દ્ર મોદીની વેડ ઇન ઇન્ડિયાની હાકલને તેમના જ સાથીપક્ષના બૉસ દ્વારા અવગણના

નરેન્દ્ર મોદીની વેડ ઇન ઇન્ડિયાની હાકલને તેમના જ સાથીપક્ષના બૉસ દ્વારા અવગણના

Published : 04 December, 2025 07:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અજિત પવારના દીકરા જયનાં લગ્નનો ચાર દિવસનો જલસો બાહરિનમાં

અજિત પવાર અને દીકરો જય

અજિત પવાર અને દીકરો જય


મહારાષ્ટ્રના રાજકારણના અઠંગ ખેલાડી શરદ પવાર અને તેમના પરિવારના અન્ય સભ્યોનો રાજ્યના રાજકારણ પર વર્ષોથી પ્રભાવ રહ્યો છે. હાલમાં જ યુગેન્દ્ર પવારનાં લગ્નની શરણાઈઓ વાગી હતી અને સુપ્રિયા સુળે પણ એમાં હરખભેર નાચ્યાં હતાં. હવે આજથી અજિત પવારના દીકરા જયનાં લગ્નની શરણાઈઓ વાગી છે, પણ એ લગ્ન મુંબઈ કે મહારાષ્ટ્રમાં કે પછી ભારતમાં નહીં પણ બાહરિનમાં યોજાઈ રહ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઘણા સમયથી લોકોને ભારતમાં જ લગ્ન કરવાની હાકલ કરે છે, પણ મહારાષ્ટ્ર સરકારમાં તેમના જ સાથીપક્ષે આ વાતની અવગણના કરી છે. આ જલસામાં બન્ને પક્ષો તરફથી માત્ર ૪૦૦ લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. એમાં પણ NCPના તો માત્ર પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. આજે મેંદી છે અને એ પછી હલ્દી અને જાન જશે. શુક્રવારે લગ્ન, શનિવારે સંગીત સેરેમની અને રવિવારે રિસેપ્શન રાખવામાં આવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

04 December, 2025 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK