Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઉદ્ધવ ઠાકરેની સામે અરેસ્ટ વૉરન્ટ કાઢવાની અરજી

ઉદ્ધવ ઠાકરેની સામે અરેસ્ટ વૉરન્ટ કાઢવાની અરજી

Published : 04 December, 2025 09:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોરેગાવ-ભીમા કમિશન સામે હાજર ન થયા એટલે...

ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર

ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર


કોરેગાવ–ભીમામાં ૨૦૧૮માં થયેલી હિંસાના કેસની તપાસ કરી રહેલા કોરેગાવ-ભીમા ઇન્ક્વાયરી કમિશને એ વખતના ચીફ મિનિસ્ટર ઉદ્ધવ ઠાકરેને કમિશન સામે હાજર રહીને વિગતો આપવા મંગળવારે બોલાવ્યા હતા. જોકે ઉદ્ધવ ઠાકરે કે પછી તેમના કોઈ જ પ્રતિનિધિ કે વકીલ કમિશન સામે હાજર થયા નહોતા.

કેસની તપાસ કરી રહેલા કમિશનને તપાસ અંતર્ગત મળેલી માહિતી અનુસાર શરદ પવારે કોરેગાવની એ હિંસા સંદર્ભે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો. કમિશને તેમની પાસે એ પત્રની કૉપી માગી હતી. શરદ પવારે કહ્યું હતું કે તેમની પાસે એ પત્રની કૉપી નથી. એથી કમિશને ઉદ્ધવ ઠાકરેને એ પત્રની કૉપી આપવા નોટિસ મોકલીને જણાવ્યું હતું. સત્તાવાર રીતે નોટિસ મોકલવા છતાં તેઓ હાજર ન રહેતાં આ બાબતે હવે તેમની સામે અરેસ્ટ વૉરન્ટ કાઢવામાં આવે એવી માગણી ઍડ્વોકેટ પ્રકાશ આંબેડકરે કમિશનને કરી છે. જોકે કમિશને એ બાબતે કોઈ નિર્ણય લીધો નથી.


Whatsapp-channel Whatsapp-channel

04 December, 2025 09:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK