Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કૃષિપ્રધાન તરીકે ધનંજય મુંડેએ ૮૮ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું

કૃષિપ્રધાન તરીકે ધનંજય મુંડેએ ૮૮ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું

Published : 05 February, 2025 01:55 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સામાજિક કાર્યકર અંજલિ દમણિયાનો નવો દાવો

અંજલિ દમણિયા

અંજલિ દમણિયા


સામાજિક કાર્યકર અંજલિ દમણિયાએ ગઈ કાલે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વિધાનસભ્ય અને રાજ્યના ફૂડ ઍન્ડ સપ્લાય વિભાગના પ્રધાન ધનંજય મુંડે પર ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ કર્યો હતો. પ્રેસ-કૉન્ફરન્સમાં અંજલિ દમણિયાએ દાવો કર્યો હતો કે ‘મહાયુતિની અગાઉની રાજ્ય સરકારમાં ધનંજય મુંડે કૃષિપ્રધાન હતા ત્યારે ૮૮ કરોડ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજનામાં ખેડૂતોનાં બૅન્ક-અકાઉન્ટમાં સરકારની સહાય જમા કરવાનો નિર્દેશ હોવા છતાં એ સમયે કૃષિ વિભાગે ખેતીનાં ઉપકરણ અને ખાતરની માર્કેટથી ઊંચા ભાવે ખરીદી કરી ખેડૂતોને આપવામાં આવ્યાં હતાં. આમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાના પુરાવા મળી આવ્યા છે.’


જોકે ધનંજય મુંડેએ અંજલિ દમણિયાએ કરેલો આરોપ પાયાવિહોણો અને રાજનીતિથી પ્રેરિત હોવાનું કહીને તેમની સામે બદનક્ષીનો દાવો કરવાની જાહેરાત કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

05 February, 2025 01:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK