Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હું શૌચાલયનો ઉપયોગ કરું છું- ઉમેદવારોએ આવું ઍફિડેવિટ આપવું પડશે

હું શૌચાલયનો ઉપયોગ કરું છું- ઉમેદવારોએ આવું ઍફિડેવિટ આપવું પડશે

Published : 25 December, 2025 07:16 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૧૭ની ચૂંટણી પહેલાં ઉમેદવારી નોંધાવનાર વ્યક્તિ શૌચાલયનો ઉપયોગ કરતી હોવી જોઈએ એવી શરત મૂકવાનો નિર્ણય લેવાયો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રાજ્યની કુલ ૨૯ મહાનગરપાલિકાઓની ચૂંટણી ૧૫ જાન્યુઆરીએ યોજાવાની છે. એ માટેના અરજીપત્રકની ૨૩ ડિસેમ્બરીથી વહેંચણી પણ ચાલુ થઈ ગઈ છે. એ અરજી સાથે ઉમેદવારોએ ‘હું શૌચાલયનો ઉપયોગ કરું છું’ એ માટેનું ઍફિડેવિટ પણ આપવું પડશે.

૨૦૧૭ની ચૂંટણી પહેલાં ઉમેદવારી નોંધાવનાર વ્યક્તિ શૌચાલયનો ઉપયોગ કરતી હોવી જોઈએ એવી શરત મૂકવાનો નિર્ણય લેવાયો હતો. ખુલ્લામાં શૌચ પર જવા પર પ્રતિબંધ મુકાય એ માટે એ શરત મૂકવામાં આવી હતી. મુંબઈ જાહેર શૌચથી મુક્ત છે એમ છતાં ઉમદેવારે એ માટેનું ઍફિડેવિટ આપવું પડશે, એનું પ્રમાણપત્ર આપવું પડશે.



ઍફિડેવિટમાં હું મારા પોતાની માલિકીના ઘરમાં રહું છું અને એમાં શૌચાલય છે, હું એનો નિયમિત ઉપયોગ કરું છું અથવા હું મારા પોતાના માલિકીના ઘરમાં નથી રહેતો અને એમાં શૌચાલયની સુવિધા નથી પણ હું સાર્વજનિક શૌચાલયનો નિયમિત ઉપયોગ કરું છું એની જાણ કરવી પડશે. 


Whatsapp-channel Whatsapp-channel

25 December, 2025 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK