મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ગઈ છે. મહાવિકાસ આઘાડી (MVA) ગઠબંધન હેઠળ મહારાષ્ટ્રમાં શિવસેના (UBT), કૉંગ્રેસ અને એનસીપી (શરદ પવાર) મળીને ચૂંટણી લડી રહી છે.
સંજય રાઉત (ફાઈલ તસવીર)
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ગઈ છે. મહાવિકાસ આઘાડી (MVA) ગઠબંધન હેઠળ મહારાષ્ટ્રમાં શિવસેના (UBT), કૉંગ્રેસ અને એનસીપી (શરદ પવાર) મળીને ચૂંટણી લડી રહી છે.
મહારાષ્ટ્રમાં સીટ વહેંચણીના મુદ્દે ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને કૉંગ્રેસના નેતાઓ વચ્ચે તાણ વધી છે. સૂત્રો પ્રમાણે, શિવસેના (UBT) વિદર્ભમાં વધારે સીટોની માગ કરી રહી છે પણ મહારાષ્ટ્ર કૉંગ્રેસ આપવા માટે તૈયાર નથી. વિદર્ભ સિવાય મુંબઈ અને મરાઠવાડામાં પણ કૉંગ્રેસ શિવસેના (UBT)ને વધારે સીટ્સ આપવા માટે તૈયાર નથી.
ADVERTISEMENT
શિવસેના (UBT) આ બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે
શિવસેના (UBT) દલીલ કરે છે કે લોકસભાની ચૂંટણીમાં અમે રામટેક, અમરાવતી જેવી પરંપરાગત બેઠકોનો કોટા કોંગ્રેસને આપ્યો અને કોંગ્રેસ જીતી ગઈ. હવે જો આપણે આ જિલ્લાઓની કેટલીક બેઠકો પર વિધાનસભાની ચૂંટણી લડવા માંગીએ તો તેમાં કંઈ ખોટું નથી. અમારે પણ અમારી પાર્ટીને જીવંત રાખવાની છે.
શિવસેના (UBT) નાના પટોલેના વલણથી નારાજ
શિસેના (UBT) સીટ વહેંચણીમાં નાના પટોલેના વલણથી નારાજ છે. શિવસેનાના સંજય રાઉતે ઉદ્ધવ ઠાકરેને વર્તમાન પરિસ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી આપી છે. સીટ વહેંચણીના મુદ્દે કેવી રીતે આગળ વધવું? ઉદ્ધવ ઠાકરેએ સંજય રાઉતને આ અંગે કેટલીક માહિતી આપી છે.
સંજય રાઉત રાહુલ ગાંધી સાથે વાત કરશે
મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ કોઈ નિર્ણય લઈ શકતા નથી, તેથી જ હવે ઠાકરે સેનાએ નિર્ણય લીધો છે કે તે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે સીધી વાત કરશે. આ એપિસોડમાં સંજય રાઉતે કેસી વેણુગોપાલ અને મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નીથલા સાથે વાત કરી છે. સંજય રાઉત શુક્રવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે ફોન પર વાત કરશે.
ઉલ્લેખનીય છે કે, સત્તાધારી અને વિરોધી પક્ષો બેઠકોની સમજૂતી અને ઉમેદવારોની યાદી તૈયાર કરવાના અંતિમ તબક્કામાં છે ત્યારે સત્તાધારી કે વિરોધી પક્ષો દ્વારા ચૂંટણી બાદ જનતા આશીર્વાદ આપશે તો મુખ્ય પ્રધાન કોણ બનશે એની સ્પષ્ટતા નથી કરવામાં આવી. આથી અત્યારે રાજ્યમાં એક જ ચર્ચા છે કે આગામી મુખ્ય પ્રધાન કોણ હશે?
ઉદ્ધવ ઠાકરેએ અનેક વખત મહા વિકાસ આઘાડીના મુખ્ય પ્રધાન કોણ હશે એની જાહેરાત કરવાની માગણી કરી છે, પરંતુ શરદ પવાર કે કૉન્ગ્રેસે હજી સુધી આ બાબતે મગનું નામ મરી નથી પાડ્યું. બીજી તરફ, મહાયુતિમાં સામેલ શિવસેનાના અધ્યક્ષ એકનાથ શિંદે અત્યારે મુખ્ય પ્રધાન છે. તેમણે પણ બુધવારે મહાયુતિની પ્રેસ કૉન્ફરન્સમાં મહાયુતિના મુખ્ય પ્રધાન વિશે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું હતું કે અમે અઢી વર્ષમાં કરેલા કામ જ અમારો મુખ્ય પ્રધાનનો ચહેરો છે.
સત્તાધારી મહાયુતિ અને વિરોધી પક્ષોના મહાવિકાસ આઘાડીમાં સામેલ પક્ષો ચૂંટણી પહેલાં મુખ્ય પ્રધાનપદનો ચહેરો જાહેર કરવાને બદલે ચૂંટણી બાદ કોને કેટલી બેઠક મળે છે એને આધારે નિર્ણય લેવામાં આવશે એવી રણનીતિ બનાવી હોવાનું જાણવા મળ્યું હતું.