Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સાયનનો રેલવે ઓવરબ્રિજ તોડવાનું પાછું ટળ્યું

સાયનનો રેલવે ઓવરબ્રિજ તોડવાનું પાછું ટળ્યું

28 March, 2024 10:48 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હવે એ લોકસભાની ચૂંટણી પછી જ તૂટે એવી શક્યતા

તસવીર : આશિષ રાજે

તસવીર : આશિષ રાજે


એક સૈકા જૂનો સાયનનો રેલવે ઓવરબ્રિજ તોડી પાડવા માટે આજે ૨૮ માર્ચથી બંધ થવાનો હતો એ હાલ મુલતવી રહ્યું છે અને હવે એ લોકસભાની ચૂંટણી પછી જ તૂટે એવી શક્યતા જોવાઈ રહી છે.

મુંબઈમાં ૨૦ મેએ લોકસભાનું મતદાન છે. આ બ્રિજ બંધ કરવાથી સૌથી વધુ અસર ધારાવીના રહેવાસીઓને થવાની છે અને ધારાવી લોકસભાની ચૂંટણીમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે એમ છે. 
સાયન બ્રિજ તોડી પાડવા માટે બંધ કરવાની આ ત્રીજી તારીખ હતી અને આ વખતે પણ એ હવે મુલતવી રહ્યું છે. સૌથી પહેલાં ૨૦ જાન્યુઆરીમાં એ બ્રિજ તોડી પાડવાનું નક્કી થયું હતું. જોકે એ વખતે સ્થાનિક રહેવાસીઓ અને રાહુલ શેવાળેએ એનો વિરોધ કરતાં રેલવે ઓથૉરિટીએ એ ૨૮ ફેબ્રુઆરીથી બંધ કરવાનું નક્કી કર્યું હતું. જોકે એસએસસી અને એચએસસીની પરીક્ષાઓ હોવાથી એ મુલતવી રહ્યું અને છેવટે ૨૭ માર્ચ મધરાતથી એ બંધ કરવાનું નક્કી થયું હતું.



રેલવેલાઇનની ઉપરથી જતો આ બ્રિજ મુંબઈનાં ઈસ્ટર્ન સબર્બ્સના લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ, ધારાવીને બાંદરા સાથે જોડતો મહત્ત્વનો કનેક્ટિંગ બ્રિજ છે. રેલવેએ એક સદી વટાવી ચૂકેલા આ બ્રિજને તોડીને નીચેથી પાંચમી અને છઠ્ઠી લાઇન પાસ થઈ શકે એવો નવો પહોળો બ્રિજ બનાવવાનું નક્કી કર્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

28 March, 2024 10:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK