Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Water Cut: કાંદિવલી અને બોરિવલીમાં આ દિવસે પાણી પુરવઠો થશે ઠપ

Mumbai Water Cut: કાંદિવલી અને બોરિવલીમાં આ દિવસે પાણી પુરવઠો થશે ઠપ

27 April, 2024 10:28 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Water Cut: બીએમસી દ્વારા મીઠી ચોકી જંકશનથી મહાવીર નગર જંકશન વચ્ચે 2જી મેના રોજ રાત્રે 10 વાગ્યે પાઈપલાઈન બદલવાનું કામ હાથ ધરવામાં આવનાર છે.

પાણી પુરવઠા માટેની પ્રતીકાત્મક તસવીર

પાણી પુરવઠા માટેની પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. 3જી મેના રોજ કાંદિવલી અને બોરીવલીના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો છોડવામાં આવશે નહીં
  2. મહાવીર નગરમાં 1200 એમએમની જૂની પાઈપલાઈન બદલવાની છે
  3. ચારકોપ મ્હાડાના સેક્ટર 01થી 09 સહિતના ઘણા વિસ્તારમાં આની અસર થશે

અત્યારે મુંબઈમાં ખૂબ જ આકરો ઉનાળો પડી રહ્યો છે. ત્યારે મુંબઈકરો ગરમીથી પરેશાન થઈ રહ્યા છે. આ વચ્ચે બીએમસી દ્વારા પાણી કાપ (Mumbai Water Cut) મૂકવામાં આવવાનો છે. 

તમને જણાવી દઈએ કે બીએમસી દ્વારા મીઠી ચોકી જંકશનથી મહાવીર નગર જંકશન વચ્ચે 2જી મેના રોજ રાત્રે 10 વાગ્યે પાઈપલાઈન બદલવાનું કામ હાથ ધરવામાં આવનાર હોવાથી પાણી કાપ મૂકવામાં આવનાર છે. આ કામ 24 કલાકમાં પૂર્ણ થવાની ધારણા છે. એવી પણ માહિતી મળી રહી છે કે આ આટલાં સમયગાળા દરમિયાન પાઈપલાઈન ખાલી  થઈ જશે. જેથી 3જી મેના રોજ કાંદિવલી અને બોરીવલીના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો છોડવામાં આવશે નહીં.



કયા એરિયામાં સમારકામ હાથ ધરવામાં આવનાર છે? કયા એરિયામાં પાણી પુરવઠો ઠપ થશે?


તમને જણાવી દઈએ કે મહાવીર નગરમાં 1200 એમએમની જૂની પાઈપલાઈન બદલવામાં આવનાર છે. અને તેની જગ્યાએ નવી પાઇપલાઇન નાખવામાં આવનાર છે. 

આ કામકાજને કારણે લીકેજ અટકી જશે. એટલું જ નહીં કાંદિવલી પશ્ચિમમાં નવી પાઇપલાઇન દ્વારા પાણીનું દબાણ પણ વધી શકે છે. પાઈપલાઈન બદલવાની કામગીરી 2જી મેના રોજ રાત્રે 10 વાગ્યાથી 3 મેના રોજ રાત્રે 10 વાગ્યા સુધી કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન 3જી મેના રોજ જન કલ્યાણ નગર, છત્રપતિ શિવાજી રાજે સંકુલ, મ્હાડા કોલોની વગેરેમાં સવારે 1.30થી 2.55 વાગ્યા સુધી પાણીનો સમય ધરાવતા વિસ્તારોમાં પાણી પુરવઠો (Mumbai Water Cut) રહેશે નહીં. 


આ વિસ્તારમાં પાણી પુરવઠો રહેશે બંધ 

આર દક્ષિણ વિભાગમાં જનકલ્યાણ નગર, છત્રપતિ શિવાજી રાજે સંકુલ, મ્હાડા કોલોની (દૈનિક પાણી પુરવઠાનો સમય 1.30 મધ્યરાત્રિથી 2.55 મધ્યરાત્રિ) – પાણી પુરવઠો 3જી મે 2024 ના રોજ (2જી મે 2024 મધ્યરાત્રિ પછી) બંધ કરવામાં આવશે.

લાલજીપાડા, કે. ડી. કમ્પાઉન્ડ, ગાંધી નગર, સંજય નગર, બંદર પાખાડી, ભાબ્રેકર નગર, સરકારી ઔદ્યોગિક વસાહત, ચારકોપ ગામ (દૈનિક પાણી પુરવઠાનો સમય સવારે 3.40થી 5.50 સુધી) એટલે કે  3જી મે, 2024ના રોજ પાણી પુરવઠો બંધ કરવામાં આવશે.

મ્હાડા એકતા નગર, મહાવીર નગર, ઈરાનીવાડી, કાંદિવલી ગામ, મહાત્મા ગાંધી માર્ગ, શંકર ગલ્લી, મથુરદાસ માર્ગ, શાંતિલાલ મોદી માર્ગ, ખજુરિયા ટાંકી માર્ગ, અદુક્રિયા માર્ગ અને સ્વામી વિવેકાનંદ માર્ગ આર દક્ષિણ વિભાગની મર્યાદામાં (સમગ્ર કાંદિવલી પશ્ચિમ) (દૈનિક પાણી પુરવઠાનો સમય - સવારે 9.00થી 11.00 સુધી) ત્યાં 3જી મે, 2024 ના રોજ પાણી પુરવઠો બંધ કરવામાં આવશે.

Mumbai Water Cut: શિમ્પોલી, મહાવીર નગર, સત્ય નગર, વઝીરા નાકા, બાભાઈ, જયરાજ નગર, એક્સર, સોડાવાલા ગલ્લી, યોગી નગર, રોકડિયા ગલ્લી, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ, પોઈસર અને સ્વામી વિવેકાનંદ માર્ગ આર દક્ષિણ વિભાગમાં 3 મે 2024ના રોજ પાણી પુરવઠો આપવામાં આવશે નહીં.  ચારકોપ મ્હાડાના સેક્ટર 01થી 09માં (દૈનિક પાણી પુરવઠાનો સમય – સવારે 11.45થી બપોરે 2.05 વાગ્યા સુધી) ત્યાં 3જી મે, 2024ના બીએમસી દ્વારા રોજ પાણી પુરવઠો બંધ રહેશે.

પોઈસર, મહાવીર નગર, ઈન્દિરા નગર, બોરસપાડા માર્ગ, સ્વામી વિવેકાનંદ માર્ગમાં (દૈનિક પાણી પુરવઠાનો સમય – સાંજે 4.30થી 6.45) દરમિયાન પાણી પુરવઠો (Mumbai Water Cut) 3જી મે, 2024ના રોજ બંધ રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

27 April, 2024 10:28 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK