પાલઘર જિલ્લામાં નગર પરિષદ અને નગર પંચાયતની ચૂંટણી માટે ચૂંટણી રૅલી દરમિયાન ફડણવીસ દહાણુમાં ભાજપના કાર્યકરોને સંબોધિત કરી રહ્યા હતા. આ તે જ જગ્યા હતી જ્યાં શિંદેએ ભાજપ પર નિશાન સાધ્યું હતું અને પક્ષને રાવણ ગણાવ્યો હતો.
દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે (તસવીર: એજન્સી)
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના ભાજપ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેના વચ્ચે થયેલ ગઠબંધન મહાયુતિ વચ્ચેનો તણાવ હવે સામે આવી રહ્યો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, શિંદેએ એક રૅલી દરમિયાન ખુલ્લેઆમ ભાજપ રાવણનો ઉપહાસ કરી નિશાન સાધ્યું હતું, જેના પર હવે સીએમ ફડણવીસે હવે વળતો પ્રહાર કર્યો છે. ફડણવીસે જવાબ આપ્યો કે, "જે લોકો અમારા વિશે ખરાબ બોલે છે તેમને અવગણો. તેઓ કહી શકે છે કે તેઓ અમારી લંકાને બાળી નાખશે, પણ અમે લંકામાં રહેતા નથી, અમે રામના ભક્ત છીએ, રાવણના નહીં." મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ચૂંટણી દરમિયાન આવી વાતો કહેવામાં આવે છે, પરંતુ તેને હૃદય પર ન લો. તેમણે વધુમાં કહ્યું કે, "અમે `જય શ્રી રામ`ના નારા લગાવનારા છીએ. ગઈ કાલે (મંગળવારે), અમે અયોધ્યાના રામ મંદિરમાં ધર્મ ધ્વજનું અનાવરણ કર્યું. અમે ભગવાન રામની પૂજા કરતી પાર્ટી છીએ. અમે લંકાને બાળી નાખીશું."
દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?
ADVERTISEMENT
પાલઘર જિલ્લામાં નગર પરિષદ અને નગર પંચાયતની ચૂંટણી માટે ચૂંટણી રૅલી દરમિયાન ફડણવીસ દહાણુમાં ભાજપના કાર્યકરોને સંબોધિત કરી રહ્યા હતા. આ તે જ જગ્યા હતી જ્યાં શિંદેએ ભાજપ પર નિશાન સાધ્યું હતું અને પક્ષને રાવણ ગણાવ્યો હતો. પાલઘરમાં પોતાના પક્ષના ઉમેદવાર માટે પ્રચાર કરતી વખતે, શિવસેનાના નેતા શિંદેએ કોઈનું નામ લીધા વિના ભાજપની સરખામણી રાવણ સાથે કરી હતી.
એકનાથ શિંદેએ શું કહ્યું?
શિંદેએ કહ્યું કે “રાવણ પણ ઘમંડી હતો, તેથી તેની લંકા સળગાવી દેવામાં આવી. તમારે પણ 2 ડિસેમ્બર મતદાનના દિવસે આવું જ કરવું પડશે.” પાલઘરની ચૂંટણીમાં, શિવસેનાએ ભાજપનો સામનો કરવા માટે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP) ના બન્ને જૂથોને એકસાથે લાવ્યા છે, જે શિંદેના મતે, નિરંકુશ છે. તેમણે કહ્યું, "આપણે બધા એકઠા થયા છીએ, આપણે નિરંકુશતા, ઘમંડ સામે એકઠા થયા છીએ..."
શિંદે અને ફડણવીસ વચ્ચે વધતું અંતર દેખાઈ રહ્યું છે?
ડોમ્બિવલી કલ્યાણમાં શિવસેનાના કેટલાક ભૂતપૂર્વ કાઉન્સિલરો, જે શિંદેના પુત્ર શ્રીકાંતના નજીકના માનવામાં આવે છે, તેમને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા બાદ ફડણવીસ અને શિંદે વચ્ચે તણાવ વધી ગયો છે. શિવસેનાએ આ મુદ્દા પર સાપ્તાહિક કૅબિનેટ બેઠકનો બહિષ્કાર કર્યો અને આ મુદ્દો ઉઠાવવા માટે ફડણવીસ સાથે મુલાકાત કરી. મુખ્ય પ્રધાને જણાવ્યું કે ભાજપ શિવસેનાના ઉદાહરણને અનુસરી રહી છે, કારણ કે બાદમાં ઉલ્હાસનગરના ભાજપ અધિકારીઓને પક્ષમાં સામેલ કર્યા હતા. શિંદે ફડણવીસના પ્રતિભાવથી નાખુશ હતા અને ભાજપના નેતા અને ગૃહ પ્રધાન અમિત શાહને રાજ્ય ભાજપ વિશે ફરિયાદ કરવા દિલ્હી ગયા હતા.


