Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કાંદિવલીમાં સવારે ગાળો બંધ હતો ત્યારે આગ લાગવાથી જાનહાનિ ટળી

કાંદિવલીમાં સવારે ગાળો બંધ હતો ત્યારે આગ લાગવાથી જાનહાનિ ટળી

Published : 11 May, 2025 11:31 AM | Modified : 12 May, 2025 06:57 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આગ શૉર્ટ-સર્કિટને કારણે લાગી હોવાની પ્રાથમિક શક્યતા છે. જોકે આગનો રિપોર્ટ આવી ગયા બાદ ખરું કારણ જાણી શકાશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કાંદિવલી-ઈસ્ટમાં અશોક ચક્રવર્તી રોડ પર બોનાન્ઝા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટના પહેલા માળે આવેલા ગાળામાં ગઈ કાલે સવારના સાત વાગ્યે અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જાણ કરવામાં આવ્યા બાદ ફાયર-બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. બંધ ગાળામાં અચાનક આગ લાગવાથી ચારે બાજુએ ધુમાડો ફેલાઈ ગયો હતો. આગ સવારના સમયે બધું બંધ હતું ત્યારે લાગવાથી જાનહાનિ ટળી હતી. પાંચેક કલાકની જહેમત બાદ ફાયર-બ્રિગેડે બપોરના સાડાબાર વાગ્યે આગ બુઝાવી નાખી હતી. આગ શૉર્ટ-સર્કિટને કારણે લાગી હોવાની પ્રાથમિક શક્યતા છે. જોકે આગનો રિપોર્ટ આવી ગયા બાદ ખરું કારણ જાણી શકાશે. 


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK