આ વર્ષે ૧૪ સપ્ટેમ્બરથી ગણેશોત્સવ શરૂ થાય છે
શુક્રવારે મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે વધારાની બસોની જાહેરાત કરી હતી (ફાઇલ તસવીર)
મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે શુક્રવારે જણાવ્યું હતું કે ગણેશોત્સવની ઉજવણી માટે હજારો મુંબઈગરાઓ કોકણ જતા હોય છે ત્યારે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (MSRTC) દ્વારા વધારાની ૫૨૨૦ બસો દોડાવવામાં આવશે. ૭ સપ્ટેમ્બરથી પચીસ સપ્ટેમ્બર દરમ્યાન આ બસ-સર્વિસિસ દોડાવાશે જેનું બુકિંગ ૧૦ ઑગસ્ટથી શરૂ થશે. ઓછામાં ઓછા ૪૦ પ્રવાસીઓ માટે આ બુકિંગ-સર્વિસ શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ૧૪ સપ્ટેમ્બરથી ગણેશોત્સવ શરૂ થાય છે.
ઘાટકોપરમાં ફેરિયાઓ પર ફર્યું બુલડોઝર
ADVERTISEMENT

ઘાટકોપરમાં સ્ટેશનની બહાર અતિક્રમણ કરેલા સ્ટૉલ્સ અને ફેરિયાઓ પર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. ગેરકાયદે રહેલા બધા જ સ્ટૉલ્સને અને ફેરિયાઓને હટાવી દેવામાં આવ્યા હતા. આ પહેલાં ૩૦ જૂને ઘાટકોપરના પંતનગરમાં સંત જ્ઞાનેશ્વર માર્ગ પર આવેલી ગેરકાયદે શૉપ્સ, લાઇબ્રેરી અને અન્ય દુકાનોને હટાવવામાં આવ્યાં હતાં. ઘાટકોપર-ઈસ્ટમાં આવેલી ફેમસ ખાઉગલી પર પણ હાલમાં જ BMC દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
