મહારાષ્ટ્રમાં ૧.૭૮ કરોડ રૅશનકાર્ડધારકોની આવક મર્યાદા કરતાં વધુ
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર સરકારે કેન્દ્રીય યોજનાઓ હેઠળ મફત અનાજ મેળવતા લાભાર્થીઓની યાદીમાંથી ૭૫ લાખ નામ કાઢી નાખ્યાં છે. જરૂરિયાતમંદ પરિવારો સુધી ફૂડ-સબસિડી પહોંચે એ માટે આ નિર્ણય લેવાયો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના ૧.૭૮ કરોડ રૅશનકાર્ડધારકોને નક્કી કરેલી આવકમર્યાદા કરતાં વધુ આવક હોવાને લીધે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે જેના પગલે રાજ્ય સરકારે આ કાર્યવાહી હાથ ધરી છે.
ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટ, ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ અને યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI) સહિત ૮ ડિપાર્ટમેન્ટના ડેટા કેન્દ્ર સરકારે શૅર કર્યા બાદ રાજ્યના ફૂડ ઍન્ડ સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટ દ્વારા આ કવાયત હાથ ધરવામાં આવી હતી.
ADVERTISEMENT
જુલાઈ મહિનાથી અધિકારીઓએ આવક અને રહેઠાણના પુરાવાની ખાતરી કરવા માટે ઘરે-ઘરે જઈને તપાસ કરી હતી. આ ચકાસણી બાદ અત્યાર સુધીમાં ૭૫ લાખ નામ દૂર કરવામાં આવ્યાં છે.


