Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વાકોલામાં પહલગામના હુમલાના વિરોધ-પ્રદર્શનમાં કોમી અથડામણ થઈ

વાકોલામાં પહલગામના હુમલાના વિરોધ-પ્રદર્શનમાં કોમી અથડામણ થઈ

Published : 28 April, 2025 10:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાવીસમી એપ્રિલે પહલગામમાં આતંકવાદી હુમલામાં ૨૬ પર્યટકોએ જીવ ગુમાવ્યા હતા. તેમને તેમનો ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા વિરુદ્ધ દેશભરમાં રૅલીઓ અને દેખાવો થઈ રહ્યાં છે. વાકોલામાં આયોજિત આવા જ એક કાર્યક્રમમાં બે કોમ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં એક યુવકને ઈજા થઈ હતી. એના અનુસંધાનમાં પોલીસે ૧૫ વ્યક્તિ વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યો છે.


બાવીસમી એપ્રિલે પહલગામમાં આતંકવાદી હુમલામાં ૨૬ પર્યટકોએ જીવ ગુમાવ્યા હતા. તેમને તેમનો ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી હતી. આ બાબતે દેશ બે જૂથમાં વહેંચાઈ ગયો છે. વાકોલામાં પહલગામના આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે શોક વ્યક્ત કરવા માટે એક શાંતિપૂર્ણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં જુદી-જુદી કોમના લોકોએ ભાગ લીધો હતો, પરંતુ જુદી વિચારધારા અને કોમી તનાવને કારણે આ પ્રદર્શન હિંસક બની ગયું હતું. એમાં એક યુવકને ઈજા થઈ હતી. પોલીસે મામલો હાથમાં લેતાં પરિસ્થિતિ કાબૂમાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2025 10:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK