આ દરમિયાન, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં પૂજાનું આયોજન કર્યું હતું. મનસે નેતા સંદીપ દેશપાંડે સહિત સ્થાનિક અધિકારીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
સંદીપ દેશપાંડે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સતત 12 વર્ષ સુધી વડા પ્રધાન તરીકે સેવા આપીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તેઓ સ્વતંત્ર ભારતના પેહલા વડા પ્રધાન બન્યા છે જેમણે સતત 12 વર્ષ સુધી આ પદ સંભાળ્યું છે. તેમણે સ્વતંત્ર ભારતના પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના રેકોર્ડને તોડી નાખ્યો છે. નરેન્દ્ર મોદીના વડા પ્રધાન તરીકે 12 વર્ષ પૂર્ણ થવા પર તેમના સમર્થકોમાં અભિનંદનનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘણા આંતરરાષ્ટ્રીય નેતાઓએ પણ તેમને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર તેમના માટે એક ખાસ પોસ્ટ શૅર કરી છે. વિવિધ દેશોના નેતાઓએ પણ મોદીના નેતૃત્વની પ્રશંસા કરી છે અને શુભેચ્છાઓ પાઠવી છે.
મનસેની પ્રતીકાત્મક પૂજા
ADVERTISEMENT
આ દરમિયાન, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં પૂજાનું આયોજન કર્યું હતું. મનસે નેતા સંદીપ દેશપાંડે સહિત સ્થાનિક અધિકારીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પૂજા પછી મીડિયા સાથે વાત કરતા, સંદીપ દેશપાંડેએ વડા પ્રધાન અને તેમની કાર્યશૈલી પર ટિપ્પણી કરી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને લાગે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સત્યને ટાળી રહ્યા છે, તો તેમણે કહ્યું, "વડા પ્રધાન નરેન્દ્ર મોદી સત્યથી ભાગી રહ્યા છે કે નહીં તે ખબર નથી. પણ તેમના કાર્યકરો માત્ર ભાગી રહ્યા છે."
भारताचे पंतप्रधान नरेंद्र मोदी यांनी भारतातील सर्वाधिक काळ पंतप्रधानपद भूषवणाऱ्या जवाहरलाल नेहरू यांचा विक्रम मागे टाकल्याच्या निमित्ताने भाजप कार्यकर्त्यांकडून देशभरातील अनेक मंदिरांमध्ये पूजा-अर्चना केली जात आहे. मात्र, हा एकमेव विक्रम नसून पेट्रोलच्या विक्रमी दरवाढीपासून ते… pic.twitter.com/dIjnH0P1u9
— MNS Adhikrut - मनसे अधिकृत (@mnsadhikrut) June 11, 2026
પ્રેસ કોન્ફરન્સ અંગે ટિપ્પણી
જ્યારે પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે વડા પ્રધાન પ્રેસ કોન્ફરન્સ નથી કરી તેનો અર્થ શું હોવો જોઈએ, ત્યારે દેશપાંડેએ કહ્યું, " જો તમે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપી શકતા નથી, તો તેનો અર્થ એ છે કે કાં તો તમારી પાસે જવાબો નથી અથવા તમે ડરી ગયા છો.” તેમને આગળ પૂછવામાં આવ્યું કે જો વડા પ્રધાન આ રીતે નવા રેકોર્ડ્સ બનાવવાનું ચાલુ રાખશે તો દેશનું શું થશે, આના પર તેમણે કહ્યું, "અમે બાપ્પાને કહ્યું કે આપણા વડા પ્રધાનના નામે પહેલાથી જ ઘણા રેકોર્ડ છે. શું આવા વધુ રેકોર્ડ બનાવવાના છે? છેવટે, આપણા ગણપતિ બાપ્પા જ્ઞાનના દેવ છે. અમે તેમને પ્રાર્થના કરી કે તેઓ બધાને સારી સમજ આપે અને કોઈને પણ બદલાની ભાવના ન રાખવા દે."
જ્યોર્જિયા મેલોનીનો સંદેશ
ઈટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી હતી. પોતાના મૅસેજમાં તેમણે કહ્યું કે, "ભારત સાથે વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી શરૂ કરવાનો આનંદ છે. આ આપણા દેશો અને દેશના લોકો માટે નવા જોડાણો બનાવશે." વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે, એક તરફ તેમને દેશ-વિદેશમાંથી અભિનંદન મળ્યા, તો બીજી તરફ, વિપક્ષી પક્ષોએ પણ આ પ્રસંગે સરકારની કાર્યશૈલી પર પ્રશ્નો ઉઠાવ્યા.
