Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આજે જેનું ઉદ્ઘાટન છે એ રે રોડના બ્રિજમાં ગોખલે બ્રિજ જેવો જ ગોટાળો

આજે જેનું ઉદ્ઘાટન છે એ રે રોડના બ્રિજમાં ગોખલે બ્રિજ જેવો જ ગોટાળો

Published : 13 May, 2025 02:27 PM | IST | Mumbai
Rajendra B Aklekar

જૂનો બ્રિજ તોડીને નવા બનાવાયેલા બ્રિ​જ પરથી રે રોડના રેલવે ટિકિટ કાઉન્ટર પર જવાનો રસ્તો જ નથી, બન્ને વચ્ચે ૭ ફુટનું અંતર

મુંબઈના જમીન પરના પહેલા કેબલ-સ્ટેડ બ્રિજનો ગઈ કાલની રાતનો નજારો. આ બ્રિજનું ઉદ્ઘાટન આજે થશે. તસવીર : આશિષ રાજે

મુંબઈના જમીન પરના પહેલા કેબલ-સ્ટેડ બ્રિજનો ગઈ કાલની રાતનો નજારો. આ બ્રિજનું ઉદ્ઘાટન આજે થશે. તસવીર : આશિષ રાજે


બ્રિટિશકાળમાં બનેલા દાયકાઓ જૂના રે રોડ ફ્લાયઓ‍વરને તોડી પાડીને હવે એ જગ્યાએ નવો કેબલ-સ્ટેડ બ્રિજ બનાવવામાં આવ્યો છે. આજે એનું ઉદ્ઘાટન છે ત્યારે એમાં પણ અંધેરીના ગોખલે બ્રિજ જેવી જ ભૂલ થઈ હોવાનું જણાયું છે. લોકો સવાલ કરી રહ્યા છે કે આવું તે કેવું પ્લાનિંગ થાય છે કે લોકોએ સુવિધાને બદલે હાડમારી વેઠવી પડે.


જે જૂનો બ્રિજ તોડી પડાયો એ બ્રિજ ભાયખલા, માઝગાવ અને દારૂખાનાથી જોડાયેલો હતો અને સ્ટેશન જવા માટે બ્રિજ પરથી ઍક્સેસ હતું અને ટિકિટ-કાઉન્ટરના મકાન સાથે પણ બ્રિજનું સીધું કનેક્શન હતું. જોકે નવા બ્રિજમાં એ ભુલાઈ ગયું છે, કારણ કે નવા બ્રિજને ટિકિ​ટ-કાઉન્ટર સાથે જોડવામાં જ નથી આવ્યો. વળી નવો બ્રિજ ટિકિટ-કાઉન્ટરથી ૭ ફુટ ઊંચો છે. આ બ્રિજ ફક્ત મોટરિસ્ટો માટે જ હોવાનું જણાઈ રહ્યું છે. બ્રિજ પર ચાલીને આવતા અને ટ્રેનમાં પ્રવાસ કરનારા લોકોને ભૂલી જવાયા છે. ૬ લેનનો બ્રિજ તો બનાવ્યો પણ એના પર ફુટપાથ બહુ સાંકડી છે એથી લોકોને ચાલવામાં અગવડ પડશે. 



ઍક્ટિવિસ્ટ જોરુ ભથેનાએ કહ્યું હતું કે ‘બ્રિજ બનીને તૈયાર થઈ ગયા બાદ ૩ મહિના પછી એનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે એ બહુ આશ્ચર્યજનક બાબાત છે. નવાઈની વાત તો એ છે કે નવા બ્રિજથી ટિકિટ-કાઉન્ટર જવા માટે ઍક્સેસ જ નથી. એવું લાગી રહ્યું છે કે ઑથોરિટીને માત્ર કારવાળામાં જ રસ છે. તેઓ રેલવેના પ્રવાસીઓ અને રાહદારીઓને ભૂલી ગયા છે.’


નવો બ્રિજ મહારાષ્ટ્ર રેલવે રેલ ઇન્ફ્રાસ્ટ્રચર ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MRIDC) અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા બનાવવામાં આવ્યો છે. આ ​બ્રિજ મુંબઈનો પહેલો કેબલ-સ્ટેડ રોડ ઓવરબ્રિજ છે. ફેબ્રુઆરી ૨૦૨૨માં જૂનો બ્રિજ તોડી પાડ્યા બાદ રેકૉર્ડ ટાઇમમાં આ નવો બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. ડિસેમ્બર ૨૦૨૪માં બ્રિજનું બાંધકામ પૂરું થઈ ગયું હતું. એ પછી નાનું-મોટું કામ બાકી હતી. આજે સાંજે ૭ વાગ્યે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ એનું ઉદ્ઘાટન કરશે.


Whatsapp-channel Whatsapp-channel

13 May, 2025 02:27 PM IST | Mumbai | Rajendra B Aklekar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK