Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ન્યૂઝ શોર્ટમાં: મેલડી રોડના મ્યુઝિકથી ત્રાસીને સ્થાનિકોએ BMCને ફરિયાદ કરી

ન્યૂઝ શોર્ટમાં: મેલડી રોડના મ્યુઝિકથી ત્રાસીને સ્થાનિકોએ BMCને ફરિયાદ કરી

Published : 19 February, 2026 06:43 AM | Modified : 19 February, 2026 08:06 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે હાઈ-સ્પીડ રોડ પર અચાનક આવું મ્યુઝિક વાગવું એ જોખમી પણ બની શકે છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈમાં ભારતનો પ્રથમ મેલડી રોડ તો બન્યો છે, પણ પ્રવાસીઓને મ્યુઝિક સાંભળવાની મજા સ્થાનિક લોકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. બ્રીચ કૅન્ડી વિસ્તારના ૬૫૦થી વધુ પરિવારોએ ફરિયાદ કરી છે કે મેલડી રોડ પર વાગતું ‘જય હો’નું મ્યુઝિક સવારે ૬ વાગ્યાથી મધરાત સુધી વાગે છે. આ બાબતે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કમિશનર ભૂષણ ગગરાણીને પત્ર લખીને રહેવાસીઓએ ફરિયાદ કરી છે. પત્રમાં જણાવ્યું છે કે મેલડી રોડની આસપાસ રહેતા લોકો તેમના ઘરની બારીઓ ખુલ્લી રાખી શકતા નથી અને આખો દિવસ આવતા અવાજને કારણે તેઓ ત્રસ્ત છે. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે હાઈ-સ્પીડ રોડ પર અચાનક આવું મ્યુઝિક વાગવું એ જોખમી પણ બની શકે છે. 

નવી મુંબઈ ઍરપોર્ટ પર FedEx કાર્ગો હબ માટે ભૂમિપૂજન થયું




નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર FedEx કાર્ગો હબ ઊભું કરવામાં આવશે. ૨૫૦૦ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે ૩,૦૦,૦૦૦ ચોરસફુટમાં બનનારું આ હબ ભારતને સાઉથ-ઈસ્ટ એશિયા, વેસ્ટ એશિયા, યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે કનેક્ટિવિટી આપશે. FedEx હબના ભૂમિપૂજનમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, અદાણી ગ્રુપના ડિરેક્ટર જીત અદાણી અને FedEx કૉર્પોરેશનના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર રિચર્ડ સ્મિથ ઉપસ્થિત રહ્યા હતા.

વાતો ઓછી અને કામ વધુ : હિલેરી ક્લિન્ટને ક્લાઇમેટ વીકમાં આપ્યો સંદેશ


બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં ચાલી રહેલા મુંબઈ ક્લાઇમેટ ચેન્જ વીકમાં અમેરિકાનાં ભૂતપૂર્વ વિદેશપ્રધાન હિલેરી ક્લિન્ટને ખાસ હાજરી આપી હતી. ગઈ કાલે ક્લાઇમેટ ચેન્જની કટોકટીને પહોંચી વળવા ‘વાતો ઓછી અને કામ વધુ’ એવો સંદેશ તેમણે આપ્યો હતો.

રોપવેના વિરોધમાં કટરામાં પળાયો સજ્જડ બંધ

વૈષ્ણોદેવી યાત્રાના માર્ગ પર સ્થાનિક લોકોએ રોપવે પ્રોજેક્ટના વિરોધમાં બુધવારે બંધ રાખવાનું નક્કી કર્યું હતું. એને કારણે ગઈ કાલે સ્થાનિક ઘોડાચાલકો, પિઠ્ઠુ સર્વિસ, પાલકી સંચાલકો અને તમામ નાના વેપારીઓએ ભાગ લીધો હતો. રોપવે બનશે તો તેમની આજીવિકા અને ઘોડા-પિઠ્ઠુ જેવા પારંપરિક વ્યવસાયો પર માઠી અસર થશે એનો વિરોધ કરવા માટે ગઈ કાલે સજ્જડ બંધનું પાલન થયું હતું. જોકે શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે એ માટે હોટેલો અને ધર્મશાળાઓ ખુલ્લી હતી. કટરાના તારાકોટથી સાંજી છત સુધીના યાત્રામાર્ગમાં આવેલી દુકાનો અને ઘોડા, પાલખીસેવાનો બંધ શાંતિપૂર્ણ રહ્યો હતો. સંઘર્ષ સમિતિએ ચીમકી આપી હતી કે ‘રોપવે પ્રોજેક્ટને કારણે પ્રભાવિત થનારા લોકોનાં હિતો માટે નક્કર કદમ ઉઠાવવામાં આવે. જો પર્યાપ્ત પગલાં નહીં લેવાય તો આંદોલનને વધુ વ્યાપક સ્વરૂપ આપવામાં આવશે.’

Whatsapp-channel Whatsapp-channel

19 February, 2026 08:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK