પાંચ કે વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધઃ નાગરિકોની શાંતિભંગ થાય કે તનાવ સર્જાય એવા જોખમને પગલે પોલીસનો આદેશ
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં શાંતિભંગ થઈ શ્કે અને સામાન્ય જનજીવન તથા માલમતાને નુકસાન થવાની શંકા હોવાની વિવિધ સૂત્રો પાસેથી મળેલી માહિતીને પગલે મુંબઈ પોલીસે સાવચેતીનાં પગલાં લઈ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે ૨૩ જુલાઈથી ૬ ઑગસ્ટ સુધી જમાવબંધીના આદેશ આપ્યા છે. આ દિવસો દરમ્યાન પાંચ અથવા પાંચ કરતાં વધુ લોકો એકસાથે ભેગા નહીં થઈ શકે. મોરચા, આંદોલન, વિરોધ-પ્રદર્શન પણ નહીં કરી શકાય. એ જ પ્રમાણે લાઉડસ્પીકર અને ફટાકડા ફોડવા પર પણ લિમિટેશન મૂકી દેવામાં આવ્યાં છે. સંભવિત તનાવપૂર્ણ પરિસ્થિતિ ટાળવા આ નિર્ણય લેવાયો છે. આ આદેશોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોને પોલીસની સૂચનાઓનું પાલન કરી સહકાર આપવાનું આહ્વાન કરાયું છે.
ક્યાં છૂટ?
લગ્નપ્રસંગો અને સામાજિક મેળાવડા
સ્મશાનભૂમિ કે દફનભૂમિમાં
ઑફિસ, સંગઠનો, સોસાયટી, સ્કૂલો વગેરે જેવી સંસ્થાઓ અને થિયેટર
