વિશ્વ પર્યાવરણ દિવસ પર રાહુલ ગાંધીએ ગ્રેટ નિકોબારનો વિડિયો શૅર કર્યો, કહ્યું કે... વારસાને બરબાદ કરવામાં આવે છે
રાહુલ ગાંધી
વિશ્વ પર્યાવરણ દિવસ પર કૉન્ગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગ્રેટ નિકોબારનો એક વિડિયો શૅર કર્યો હતો અને પ્રસ્તાવિત ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ એક વેપારીને ફાયદો પહોંચાડવાનો છે અને આ દેશ હિતમાં નથી.
કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘સરકાર ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ અને ડિફેન્સ પ્રોજેક્ટ તરીકે રજૂ કરે છે પણ એનો ઉદ્દેશ એક મોટા બિઝનેસમૅનને ફાયદો પહોંચાડવાનો છે. આ પ્રોજેક્ટને સરકાર રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાવે છે પણ એ દેશના વારસાને બરબાદ કરી શકે છે.’
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર શૅર કરલા વિડિયોમાં પરવાળાના ખડકોના પાણીની અંદરના ફુટેજનો સમાવેશ થાય છે. આ મુલાકાત તેમણે એપ્રિલ મહિનામાં લીધી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે ‘આ પ્રોજેક્ટ દોઢ કરોડ વૃક્ષો કાપી શકે છે, પરવાળાના ખડકોને નુકસાન પહોંચાડી શકે છે અને આદિવાસી સમુદાયો અને વસાહતીઓને વિસ્થાપિત કરી શકે છે. હું ઇન્ડિયન નેવલ સર્વિસ (INS) બાઝ દ્વારા સંરક્ષણવૃદ્ધિને સમર્થન આપું છું, પણ આગ્રહ રાખું છું કે વિકાસ પર્યાવરણીય રીતે સંતુલિત હોવો જોઈએ અને ટાપુના અનન્ય કુદરતી વારસાનું રક્ષણ કરવું જોઈએ.’
