નગરપાલિકાની ચૂંટણીઓ પછી રાજ ઠાકરેની નાસિકની આ પહેલી મુલાકાત છે, જેમાં એક પણ MNSનો ઉમેદવાર જીતી શક્યો નથી. તેમના બે દિવસના પ્રવાસ દરમિયાન, તેઓ સ્થાનિક નેતાઓ, પદાધિકારીઓ અને પાર્ટીના કાર્યકરો સાથે બેઠકો કરશે તેવી શક્યતા છે.
રાજ ઠાકરે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના વડા રાજ ઠાકરે 6 અને 7 ઑગસ્ટના રોજ નાસિકના બે દિવસના પ્રવાસે છે. તેઓ ગુરુવારે સવારે 10:30 વાગ્યે નાસિક પહોંચ્યા હતા, જ્યાં પાર્ટીના કાર્યકરોએ મુંબઈ નાકા વિસ્તારમાં તેમનું સ્વાગત કરવા માટે વ્યવસ્થા કરી હતી. 2027ના સિંહસ્થ કુંભ મેળાની તૈયારીઓ વચ્ચે રાજ ઠાકરેની નાસિકની મુલાકાતને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. કુંભ સંબંધિત કાર્યો માટે શહેરમાં ખાડાઓ અને વ્યાપક ખોદકામ અંગે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ખરાબ રસ્તાની સ્થિતિ અને બાંધકામ પ્રવૃત્તિઓને કારણે અસંખ્ય અકસ્માતો થયા છે, જેના પરિણામે ઇજાઓ અને જાનહાનિ પણ થઈ છે.
સ્થાનિક નેતાઓ અને કાર્યકરો સાથે મુલાકાત
ADVERTISEMENT
નગરપાલિકાની ચૂંટણીઓ પછી રાજ ઠાકરેની નાસિકની આ પહેલી મુલાકાત છે, જેમાં એક પણ MNSનો ઉમેદવાર જીતી શક્યો નથી. તેમના બે દિવસના પ્રવાસ દરમિયાન, તેઓ સ્થાનિક નેતાઓ, પદાધિકારીઓ અને પાર્ટીના કાર્યકરો સાથે બેઠકો કરશે તેવી શક્યતા છે. શહેરી અને ગ્રામીણ બન્ને નાસિકમાં પાર્ટી સંગઠનની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવશે. તેમની બેઠકો દરમિયાન ચર્ચાઓ સંગઠનને મજબૂત બનાવવા અને ભવિષ્યની રાજકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવા પર કેન્દ્રિત થવાની સંભાવના છે. રાજ ઠાકરેની મુલાકાત દરમિયાન તેમની પ્રતિક્રિયા પર બધાની નજર રહેશે કે તેઓ તૂટેલા રસ્તાઓ, ખાડાઓ અને કુંભ સંબંધિત વિકાસ કાર્યોની ધીમી ગતિ અંગે શું પ્રતિક્રિયા આપે છે. વિપક્ષ પહેલાથી જ અધૂરા વિકાસ પ્રોજેક્ટ્સ અને રસ્તાઓની નબળી સ્થિતિ અંગે સરકાર પર સવાલ ઉઠાવી રહ્યું છે.
કુંભની તૈયારીઓ વચ્ચે એક મહત્ત્વપૂર્ણ મુલાકાત
2027 ના સિંહસ્થ કુંભ મેળાની તૈયારીઓ હાલમાં નાસિકમાં ચાલી રહી છે. આ કાર્યક્રમ અગાઉ 2015 માં શહેરમાં યોજાયો હતો, તે સમયે જ્યારે નાસિક મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં મનસે સત્તા પર હતી. તે સમયે નોંધપાત્ર વિકાસ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ શહેરની સ્થિતિ આ વર્ષે જેટલી ખરાબ નહોતી, એવું કહેવાય છે. આ વખતે, પ્રશાસને `સાધુગ્રામ` બનાવવા માટે આશરે 2,000 વૃક્ષો કાપવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો, જેનો મનસે સહિત અનેક લોકોએ વિરોધ કર્યો હતો. પાર્ટીએ પ્રશ્ન કર્યો કે, પાછલા કુંભ મેળા દરમિયાન તપોવનમાં એક પણ વૃક્ષ કાપવું ન પડ્યું હોવા છતાં, આ વખતે આટલા બધા વૃક્ષો કાપવાની જરૂર કેમ પડી. આ મુદ્દાઓ વચ્ચે, રાજ ઠાકરેની નાસિક મુલાકાતને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. અટકળો સૂચવે છે કે તેઓ શહેરની ખરાબ સ્થિતિ, ખાડાઓ અને કુંભ મેળા સંબંધિત વિકાસ કાર્યોને લઈને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને શિવસેનાના એકનાથ શિંદે જૂથ પર નિશાન સાધી શકે છે, જેથી પ્રશાસન સહતી સ્થાનિકોની નજર તેમના આ પ્રવાસ પર છે.
