Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્ર સરકારે મનોજ જરાંગે પાટીલને અનશન છોડી ચર્ચા કરવા અપીલ કરી, પણ તેઓ ટસના મસ ન થયા

મહારાષ્ટ્ર સરકારે મનોજ જરાંગે પાટીલને અનશન છોડી ચર્ચા કરવા અપીલ કરી, પણ તેઓ ટસના મસ ન થયા

Published : 03 September, 2026 08:33 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હૈદરાબાદ ગૅઝેટના આધારે અત્યાર સુધીમાં ૩૫૦૦થી વધુ પ્રમાણપત્રો આપવામાં આવ્યાં છે

મનોજ જરાંગે

મનોજ જરાંગે


મરાઠા અનામત અને કુણબી જાતિ પ્રમાણપત્રની માગણી સાથે મનોજ જરાંગે પાટીલના આમરણ ઉપવાસ પાંચમા દિવસે પ્રવેશતાં મહારાષ્ટ્ર સરકારે વલણ સ્પષ્ટ કરી મધ્યસ્થીના પ્રયાસો તેજ કર્યા હતા. કૅબિનેટ પ્રધાનો રાધાકૃષ્ણ વિખે પાટીલ અને ઉદય સામંતે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જાલના જિલ્લા કલેક્ટરે રૂબરૂ મળીને કુણબી પ્રમાણપત્રો વિશેનો સરકારી ડ્રાફ્ટ જરાંગેને સોંપ્યો છે.  

હૈદરાબાદ ગૅઝેટના આધારે અત્યાર સુધીમાં ૩૫૦૦થી વધુ પ્રમાણપત્રો આપવામાં આવ્યાં છે અને પ્રક્રિયા પર દેખરેખ માટે દરેક જિલ્લામાં નોડલ ઑફિસર નીમવામાં આવશે. અનામત આંદોલન દરમ્યાન નોંધાયેલા ૯૦ ટકા કેસ પાછા ખેંચી લેવાયા છે અને મૃતકોના પરિવારોને આર્થિક સહાય તથા સરકારી નોકરીઓ આપવાની પ્રક્રિયા પ્રગતિમાં છે. સરકારે મનોજ જરાંગે પાટીલને ઉપવાસ ખતમ કરી સકારાત્મક સંવાદ હાથ ધરવા વિનંતી કરી છે.



આટલી સ્પષ્ટતા છતાં મનોજ જરાંગેએ ગઈ કાલે પાણી પીધું પણ હજી ઉપવાસ ચાલુ રાખ્યા છે. તેમણે કહ્યું હતું કે મરાઠાઓની બધી જ માગણીઓ સ્વીકાર્ય બને અને એ બાબતે ગવર્નમેન્ટ રેઝોલ્યુશન બહાર પડશે ત્યારે જ તેઓ આંદોલન પાછું ખેંચશે. 


Whatsapp-channel Whatsapp-channel

03 September, 2026 08:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK