Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ડ્રગ ઓવરડોઝને લીધે દેશમાં દર અઠવાડિયે ૧૨ લોકો મૃત્યુ પામે છે

ડ્રગ ઓવરડોઝને લીધે દેશમાં દર અઠવાડિયે ૧૨ લોકો મૃત્યુ પામે છે

Published : 05 November, 2025 07:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૧૯થી ૨૦૨૩ના રેકૉર્ડ્‍સ પ્રમાણે પાંચ વર્ષમાં ૩૨૯૦ લોકોએ ડ્રગ ઓવરડોઝને લીધે જીવ ગુમાવ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તાજેતરમાં બહાર પડેલા નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ્‍સ બ્યુરો (NCRB)ના ડેટા પ્રમાણે દેશમાં દરરોજ ડ્રગ ઓવરડોઝથી કોઈનું ને કોઈનું મૃત્યુ થાય છે. ૨૦૧૯થી ૨૦૨૩ના સમય દરમ્યાનના આ ડેટા પ્રમાણે ડ્રગ ઓવરડોઝને કારણે દેશમાં દર અઠવાડિયે ૧૨ લોકો મૃત્યુ પામે છે. આ સમય દરમ્યાન કુલ ૩૨૯૦ લોકોએ ડ્રગ ઓવરડોઝને કારણે જીવ ગુમાવ્યો હતો.

NCRBના આ રિપોર્ટમાં તો ફક્ત એ જ ડેટા સામેલ છે જેનો મૃત્યુ અને ડ્રગ ઓવરડોઝનો ડેટા સત્તાવાર રેકૉર્ડ્સમાં નોંધાયો હોય. દેશમાં ડ્રગ ઓવરડોઝના ઘણા કિસ્સા નોંધાતા જ નથી. એવા કિસ્સામાં થયેલાં મૃત્યુનો ડેટા NCRB આ રિપોર્ટમાં સામેલ નથી. એટલે કે દેશમાં દરરોજ ડ્રગ ઓવરડોઝથી થતાં મૃત્યુનો આંકડો સત્તાવાર ડેટા કરતાં વધારે હોવાની સંભાવના છે.


Whatsapp-channel Whatsapp-channel

05 November, 2025 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK