Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૨૦૨૫માં મોક્ષનગરી કાશીમાં ૭ કરોડ ૨૬ લાખ શ્રદ્ધાળુઓ ઊમટ્યા

૨૦૨૫માં મોક્ષનગરી કાશીમાં ૭ કરોડ ૨૬ લાખ શ્રદ્ધાળુઓ ઊમટ્યા

Published : 09 January, 2026 08:38 AM | IST | Kashi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહાશિવરાત્રિના સમયમાં અને શ્રાવણ મહિનામાં મુલાકાતીઓની સંખ્યામાં ભારે વધારો જોવા મળ્યો હતો.

કાશી

લાઇફ મસાલા

કાશી


કાશી વિશ્વનાથ કૉરિડોરનું નિર્માણ, ગંગા ઘાટનું બ્યુટિફિકેશન, પ્રાચીન મંદિરો, રસ્તાઓ અને ટૂરિઝમ ફૅસિલિટીના વિકાસને કારણે વારાણસીમાં લોકોનો પ્રવાહ વધતો જ જાય છે. વારાણસીની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા ગયા વર્ષે ૭ કરોડ ૨૬ લાખને વટાવી ગઈ હતી. ઉત્તર પ્રદેશ સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે ૨૦૨૫ના વર્ષમાં કાશીની પાવનભૂમિમાં પ્રવાસે આવેલા પ્રવાસીઓની કુલ સંખ્યા ૭,૨૬,૭૬,૭૮૧ રહી હતી. ભક્તોએ આખા વર્ષ દરમ્યાન કાશીના વિવિધ ઘાટ અને મંદિરોની મુલાકાત લીધી હતી. પ્રયાગરાજમાં મહાકુંભમાં ડૂબકી લેવા આવેલા અને ત્યાંથી વારાણસી પહોંચેલા બે કરોડ ૮૭ લાખ ભક્તોનો પણ આ આંકડામાં સમાવેશ થાય છે. મહાશિવરાત્રિના સમયમાં અને શ્રાવણ મહિનામાં મુલાકાતીઓની સંખ્યામાં ભારે વધારો જોવા મળ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

09 January, 2026 08:38 AM IST | Kashi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK